- હોટેલ માં ચેકઆઉટ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નુકસાનથી બચી શકશો
- તહેવારોની સિઝનમાં આ મેક્સી ડ્રેસને દુપટ્ટા સાથે સ્ટાઈલ કરો,દેખાશો એકદમ અલગ
- રોંગ સાઈડ પર વાહન ચલાવવા થશે દંડ, રકમ જાણ્યા પછી તમે ક્યારેય નિયમો નહીં તોડો
- Airtel એ નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો, 26 રૂપિયામાં મળશે આટલી સુવિધાઓ
- બ્લડ પ્રેશર અચાનક વધવા લાગે તો કરો આ યોગ, સરળતાથી કંટ્રોલ થઈ જશે.
- નાસ્તામાં ઝટપટ તૈયાર કરો ટેસ્ટી ઓટ્સ અપ્પમ, અહીં જુઓ સરળ રેસિપી
- સુપ્રીમ કોર્ટના હજારો નિર્ણયોનું હિન્દીમાં ભાષાંતર કરાયું, AI ની મહત્વ પૂર્ણ ભૂમિકા
- ગુજરાતમાં આ વર્ષે તાવના દર્દીઓ વધ્યા, આઠ મહિનામાં 39 હજાર દર્દીઓ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
તણાવ તમારા શરીર માટે જોખમી પ્રતિક્રિયા આપે છે. સમયાંતરે શ્વાસ લો અને આરામ કરતા રહો મન બેચેન હોય તો શરીર પણ બિમાર લાગે છે. માણસના શરીરની તંદુરસ્તી તેના મનની શાંતિ અને સંતુલન પર આધાર રાખે છે. મન બેચેન હોય તો શરીર પણ બિમાર લાગે છે. મેન્ટલ હેલ્થની આ તકલીફ લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીરમાં અનેક રોગો જન્મ લે છે. વ્યક્તિ બેચેન અથવા તણાવમાં હોય ત્યારે તેના શ્વાસનો દર વધી જતો હોય છે. તેનું મુખ્ય કારણ તમારૂં વધેલું બીપી હોઈ શકે છે. મેન્ટલ હેલ્થની સમસ્યાઓને કારણે બ્લડ પ્રેશર વધવાની તકલીફ ઉદ્દભવી શકે છે. સામાન્ય ચિંતા અને તાણને કારણે તમામ લોકોને…
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક રાશિનો ગ્રહ સ્વામી જણાવવામાં આવ્યો છે. આ ગ્રહોની અસર જાતકના સ્વભાવ, વ્યવહાર, પસંદ-નાપસંદ, ભવિષ્ય પર પડે છે. આજે અમે એક એવી રાશિના જાતકો અંગે જાણીએ છીએ, જેના પર સૂર્ય દેવની અપાર કૃપા હોય છે. સિંહ રાશિના જાતકો રાજા જેવુ જીવન જીવે છે તેઓ દયાળુ અને મદદ કરનારા પણ હોય છે તેઓ ખાવા-પીવા અને ફરવામાં વધુ પૈસા ખર્ચ કરે છે આ રાશિના જાતકોની આકર્ષક પર્સનાલિટી હોય છે સૂર્ય દેવની કૃપાને પગલે જાતક ખાસ્સા તેજસ્વી, નિડર, આત્મવિશ્વાસી, સ્વસ્થ અને કારકિર્દીમાં મોટી સફળતા મેળવનારા હોય છે. સૂર્ય દેવની આ વિશેષ મહેરબાની સિંહ રાશિના જાતકોને પ્રાપ્ત થાય છે. સિંહ રાશિના જાતક…
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જનતાને મળશે મોટી રાહત નાણા મંત્રી નિર્મલા સીતારામણની મોટી જાહેરાત પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયા એક્સાઈઝ ડ્યુટી ઘટાડશે સરકાર છેલ્લા ઘણા સમયથી મોંઘવારીનો માર ઝીલી રહેલ પ્રજા માટે સરકારે રાહતના સમાચાર આપ્યા છે. મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. છેલ્લા ઘણા મહિનાઓથી વધી રહેલ પેટ્રોલ અને ડીઝલના ભાવથી પ્રજા પિસાઇ રહી હતી. ત્યારે સરકારે પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે…
હીરો મોટોકોર્પે એ ગુરુવારે પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડરના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યું છે આ બાઇક પોપ્યુલર i3S ટેક્નોલોજી સાથે પણ આવે છે કંપનીનો દાવો છે કે સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે હીરો મોટોકોર્પે (Hero Motocorp)એ ગુરુવારે પોપ્યુલર બાઇક સ્પ્લેન્ડરના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યું છે. નવા વેરિઅન્ટને સ્પ્લેન્ડર+ XTEC (Splendor+ XTEC) નામ આપવામાં આવ્યું છે. તેની કિંમત 72,900 રૂપિયા (એક્સ-શોરૂમ)થી શરુ થાય છે. હીરો મોટોકોર્પનું કહેવું છે કે આ 100cc બાઇક ઘણી નવી ટેક્નોલોજી અને ફીચર્સ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે સ્પ્લેન્ડર+ એક્સટીઈસી પર પાંચ વર્ષની વોરંટી પણ મળશે. નવી બાઇકમાં મળતી ટેક્નોલોજી અને ફીચર્સની વાત કરીએ…
કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11મો હપ્તો આવી શકે છે ગમે ત્યારે, પરંતુ e-kyc અપડેટ કરવુ છે જરૂરી. આ માટે સરકારે કરી એક મહત્વની જાહેરાત PM કિસાન નિધી યોજના સરકારે ઇ-કેવાયસી માટે ડેડલાઇન વધારી 31મે સુધી કરી લંબાવવામાં આવી ડેડલાઇન પીએમ કિસાન નિધી યોજના હેઠળ ખેડૂતોને 11મો હપ્તાની રકમ જમા થવાની છે. ત્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે એક કાર્યક્રમમાં જણાવ્યું કે કિસાન સન્માન નિધી યોજનાનો 11 હપ્તો પીએમ મોદી આપવા જઇ રહ્યા છે. જો કે હજી તારીખ સામે આવી નથી પરંત આપશે. પરંતુ તે પહેલા ખેડૂતોએ e-KYC કરવાનું પુરુ કરવાનું રહેશે. ત્યારે કેન્દ્ર સરકારે આ યોજનાનો લાભ લેવા…
ઉનાળાની ઋતુમાં ઘણા લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે ઉનાળાની રજાઓ ગાળવા માટે તમે રાધાનગર બીચ તરફ જઈ શકો છો પુરી બીચને વિશ્વાસના બીચ તરીકે ઓળખવામાં આવે છે ઉનાળાની ઋતુમાં ઘણા લોકો પ્રવાસનો પ્લાન બનાવે છે. આમાંના મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા માટે કાં તો પહાડી વિસ્તારોમાં જવાનું પસંદ કરે છે અથવા બીચને અડીને આવેલા શહેરોમાં તેમનો સમય પસાર કરવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, ઘણા લોકો સુંદર બીચ પર એન્જોય કરવાની ઇચ્છામાં દેશની બહાર જવાનો પ્લાન બનાવે છે. પરંતુ દરેક વ્યક્તિને રજાઓ માટે દેશની બહાર જવાનું પોસાય તેમ નથી. આજે અમે તમને ભારતમાં જ હાજર એવા 7 સુંદર બીચ…
દાહોદથી રાધનપુર જતી એસટી બસમાં લાગી આગ લાગતા મુસાફરોમાં અફરાતફરી સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી: આગ કાબુમાં આવી મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા નગરમાંથી પસાર થતી એસટીબસમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમયસુચકતાથી મૂસાફરો બસની બહાર નીકળી જતાને કોઈ જાનહાની થઈ નથી.ફાયર ફાયટર દ્વારા પણ આવીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવામા આવ્યો હતો. લુણાવાડાનગરમા આવેલી એસ.કે.હાઈસ્કુલ પાસેથી મુસાફરો ભરીને દાહોદથી રાધનપુર તરફ જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવર સાઈડના ગીયર પાસે એકાએક ધુમાડો નીકળવા લાગ્યોહતો. બસમાં ડ્રાઈવરે બસને તરત જ રોડની એક તરફ ઉભી રાખી દીધી હતી,ધુમાડા નીકળતા બસમા બેઠેલા મુસાફરોમાં ગભરાઈ જતા અફરાતફરીનો માહોલ…
આદિવાસીઓ દ્વારા ઉગ્ર વિરોધના પગલે આખરે ગુજરાત સરકાર દ્વારા તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દેવાયો છે. જેની CM ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર જાહેરાત કરી છે. આદિવાસીઓના હિતમાં રાજ્ય સરકારે કરી પીછેહઠ તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો 28 માર્ચના રોજ આ પ્રોજેક્ટને સ્થગિત કરાયો હતો તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને લઇને આદિવાસીઓને ગુજરાત સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે આદિવાસીઓના હિતમાં પીછેહઠ કરતા મહત્વનો નિર્ણય લેતા તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટને કાયમી ધોરણે રદ કરી દીધો છે. જેની સત્તાવાર જાહેરાત સુરતથી CM ભૂપેન્દ્ર પટેલ જાહેરાત કરી છે. મહત્વનું છે કે અગાઉ તાપી પાર…
Jio પોતાના યુઝર્સને ફ્રી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને 100 SMS ઓફર કરી રહ્યું છે. જોકે આ ઓફર દરેક યુઝર્સ માટે નથી. અમુક જીયો કસ્ટમર્સ જ તેનો ફોયદો ઉઠાવી શકશે. Jio આપી રહ્યું ફ્રી ડેટા અને કોલિંગ ચાર દિવસ સુધી ફ્રી મળશે કંપનીની સર્વિસ પહેલા પણ કંપની આપી ચુકી છે કેમ્પ્લિમેન્ટ ઓફર ટેલીકોમ સર્વિસ માટે આપણે એક મોટી રકમ ચુકવવી પડે છે. જો તમે એક મંથલી યુઝર છો તો દર મહિને એક નિશ્ચિત એમાઉન્ટ કોલ અને ડેટા પાછળ ખર્ચ કરતા હશે. જો કોઈ કારણે તમને આ સર્વિસ ન મળી તો યુઝર્સને પોતાની સાથે છેતરપિંડી થઈ હોય તેવું લાગે છે. ખાસકરીને જ્યારે…
રવિચંદ્રન અશ્વિન આઈપીએલ 2022માં બોલિંગની સાથે બેટીંગથી પણ સારી અને ઉપયોગી ઈનિંગ રમી રહ્યાં છે. સ્ટાર ઑલરાઉન્ડરે શુક્રવારે પણ તેની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે બોલિંગ અને બેટીંગથી સારું પ્રદર્શન કર્યુ. રવિચંદ્રન અશ્વિને IPL 2022માં ધારદાર ઈનિંગ રમી 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી બેટિંગમાં પણ 40 રનની અણનમ ઈનિંગ રમી અશ્વિને પહેલા તો બોલિંગમાં 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ પોતાના નામે કરી અને પછી ત્યારબાદ તેમણે બેટિંગમાં પણ હાથ અજમાવીને 40 રનની અણનમ અને મેચ વિનિંગ્સ ઈનિંગ રમી. પોતાની આ ઈનિંગ દરમ્યાન તેણે 23 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા લગાવ્યાં. અશ્વિન…