Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા શ્રીલંકાની મદદે આવ્યું ભારત 40 હજાર મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું ભારતે ફરી એકવાર શ્રીલંકાને જંગી માત્રામાં પેટ્રોલ મોકલ્યું છે. ભારતે પોતાના પાડોશી ધર્મની ભૂમિકા ભજવતા પોતાના પાડોશી દેશ શ્રીલંકાને ખરાબ સમયમાં મદદ કરી છે. જો કે આ પહેલીવાર નથી, જ્યારે ભારતે શ્રીલંકાને પેટ્રોલ મોકલીને મદદ કરી હોય. આ પહેલા ભારતે શ્રીલંકાને બે વખત પેટ્રોલ આપીને મદદ કરી હતી. સોમવારે ભારતે ફરી એકવાર શ્રીલંકાને 40,000 મેટ્રિક ટન પેટ્રોલ મોકલ્યું છે. આ તેલ આજે શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચશે. આપને જણાવી દઈએ કે, આ દિવસોમાં શ્રીલંકામાં રાજકીય અને આર્થિક બંને સંકટ ચાલી રહ્યું છે. ગંભીર આર્થિક…

Read More

રાજસ્થાન જીવંત સંસ્કૃતિ, રિવાજો, પરંપરાઓ અને સ્વાદની ભૂમિ છે આ રાજ્ય સ્વાદિષ્ટ વસ્તુઓથી ભરેલું છે દાલ બાટી ચુરમા રાજસ્થાન રાજ્યની સૌથી સામાન્ય અને પ્રખ્યાત વાનગીઓમાંની એક છે રાજસ્થાન જીવંત સંસ્કૃતિ, રિવાજો, પરંપરાઓ અને સ્વાદની ભૂમિ છે. જટિલ આર્કિટેક્ચર થી સુગંધિત સ્વાદો સુધી, રાજ્ય અધિકૃત વિગતો અને સ્વાદિષ્ટ વસ્તુઓથી ભરેલું છે જેને કોઈ ચૂકી ન શકે. તેથી, જો તમે ખાણીપીણીના શોખીન છો, તો રાજસ્થાનની આ પ્રતિષ્ઠિત વાનગીઓને આ પ્રતિષ્ઠિત સ્થાનો પર અજમાવવાની ખાતરી કરો, જે વર્ષોથી સમર્થકોને સેવા આપે છે. દાલ બાટી ચુરમા- લક્ષ્મી મિષ્ટાન ભંડાર, જયપુર આ રાજસ્થાન રાજ્યની સૌથી સામાન્ય અને પ્રખ્યાત વાનગીઓમાંની એક છે. ઘઉંનો લોટ, મીઠું, ઘી,…

Read More

સોમવારે શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાયો હતો. ભાજપના નેતાઓ પર પણ 100 અને 500ની નોટો વરસાદ થયો હતો. ગોરધન ધામેલીયા પર લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર રીબડા ગામમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાત્રિના સમયે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરામાં કલાકારોએ ગીતો અને ભજનોની રમઝટ બોલવતા લોકો મન મુકીને વરસ્યા હતા. લોકડાયરામાં કોથળા મોઢે રૂપિયા ઉડતા ચારે તરફ રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા હતા. તેમજ ભાજપના નેતાઓ પર પણ 100 અને 500ની નોટો વરસાદ થયો હતો. સ્ટેજ અને આસપાસની જગ્યામાં નજર પડે ત્યાં રૂપિયા જ રૂપિયા જોવા મળ્યા…

Read More

હોમ-કાર લોન થશે મોંઘી RBI આવતા મહિને વધારી શકે છે રેપોરેટ મોંઘવારી વચ્ચે ફરી એકવાર મધ્યમવર્ગ પિસાશે  જો તમે કાર લોન કે હોમ લીધી હોય તો તમારી મુશ્કેલીમાં વધારો થશે. કારણ કે આરબીઆઇએ આ અંગે અત્યારથી એવા સંકેત આવી દીધા છે કે તમારી ઇએમઆઇમાં વધારો થશે. આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે  જૂનની મોનેટરી પોલિસીમાં રેપો રેટ વધારવામાં આવશે. તેમણે કહ્યું કે ફુગાવાને જોતા નાણાકીય નીતિના મધ્યમાં પોલિસી રેટ વધારીને 4.40 કરવામાં આવ્યા હતો હવે આને વધારીને 5.15 ટકા કરવામાં આવી શકે છે. એટલે કે આવનારા દિવસોમાં તમારા પર EMIનો બોજ વધવાનો છે. તમારી હોમ, કાર…

Read More

વૉઇસ કમાન્ડ પર ચાલશે ટીવી Sony 4K HDR પ્રોસેસર X1 આપવામાં આવ્યું છે. બધા ટીવીમાં ઇન-બિલ્ટ ક્રોમકાસ્ટ આપવામાં આવ્યું છે. હોમ એપ્લાયન્સીસની દુનિયામાં દિગ્ગજ અને વિશ્વસનીય કંપની  Sony એ ભારતમાં બ્રાવિયા સિરીઝ હેઠળ Bravia X80K સ્માર્ટ ટીવી લોન્ચ કર્યું છે. કંપનીએ Bravia X80Kને 5 ડિસ્પ્લે સાઇઝમાં રજૂ કર્યું છે જેમાં 43 ઇંચ, 50 ઇંચ, 55 ઇંચ, 65 ઇંચ અને 75 ઇંચનો સમાવેશ થાય છે. આ તમામ મોડલમાં HDR10, HLG અને Dolby Vision નો સપોર્ટ મળે છે.આ ઉપરાંત, બહેતર સાઉન્ડ માટે તેમાં 10Wના ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે, જેની સાથે ડોલ્બી એટમોસ, ડોલ્બી ઓડિયો અને ડીટીએસ ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડને સપોર્ટ આપવામાં…

Read More

દિલ્હીમાં રાહત સાથે આફત,આયાનગરમાં સૌથી વધુ 52.2 મીમી વરસાદ નોંધાયો યુપીમાં વાવાઝોડાના કારણે થયેલા અકસ્માતમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશના કોઈપણ ભાગમાં હીટવેવની કોઈ શક્યતા નથી દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રે થયેલા વરસાદે ફરી એકવાર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઠંડક વધારી દીધી છે. જેના કારણે લોકોને ગરમીથી તો રાહત મળી હતી, પરંતુ સાથે જ વીજળી ડૂલ થવાની સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી. તે જ સમયે, સોમવારે બપોરે તોફાન અને વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વૃક્ષો પડવાથી અને વીજળી પડવાથી અને દિવાલ ધરાશાયી થવાને કારણે…

Read More

આવતી કાલે નરેશ પટેલ કરી શકે છે મોટી જાહેરાત નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહીં તે ચિત્ર સ્પષ્ટ થશે  આવતી કાલે નરેશ પટેલે મીડિયાને કર્યુ છે આમંત્રિત ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે, કઇ પાર્ટીમાં જોડાશે તે અંગે છેલ્લા ત્રણ મહિનાથી અનેક વાતો વહેતી થઇ હતી, નરેશ પટેલે પણ પોતે રાજકારણમાં જોડાવા ઇચ્છુક છે તેવી વાત કર્યા બાદ મુદત પર મુદત નાખી અનેક રહસ્યો સર્જ્યા હતા ત્યારે બુધવારે નરેશ પટેલે મીડિયા કર્મચારીઓને સામેથી આમંત્રિત કર્યા છે, નરેશ પટેલ રાજકારણમાં સક્રિય થશે કે નહીં તે એ દિવસે સ્પષ્ટ થઇ જશે તેવા સંકેતો મળી રહ્યા છે. નરેશ…

Read More

ગરમીથી આંશિક રાહત, સુરતના હવામાનમાં પલટો વાદળછાયા વાતાવરણ સાથે પવન  વડોદરામાં ચોમાસા જેવો માહોલ ગુજરાતમાં ત્રણ દિવસ વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડના તિથલનો દરિયો તોફાની બન્યો છે. દરિયા કિનારે પૂર ઝડપે પવન ફુંકાતા કિનારે આવેલા સ્ટોલના પંડાલ ઉડી ગયા છે. તોફાની પવન અને ઉંચા મોજાથી દરિયો ગાંડોતૂર જોવા મળી રહ્યો છે. દિવસભરની ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે.રાજસ્થાન ઉપર લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં અસર પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતારવણ રહેશે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ઉકળાટ પણ રહેશે.તેમજ રાજ્યમાં 10થી 20 કિ.મીની ઝડપે પવન…

Read More

તરબૂચમાં 90% થી વધુ પાણી હોય છે. દાડમ અને કીવી બંને એવા ફળ છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બ્લેકબેરી  સલાડ પણ ઉનાળામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે મે મહિનામાં ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે. સવારથી જ સૂરજની ગરમીનો અહેસાસ થવા લાગે છે, ત્યારે બપોરે ઘરની બહાર નીકળવું કોઈ પડકારથી ઓછું નથી. હવામાનના આ તીક્ષ્ણ મિજાજની વચ્ચે આપણું શરીર સ્વસ્થ રહે તે જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા માટે ઉનાળાની ઋતુમાં આહારમાં ફેરફાર કરવો જરૂરી છે.ખોરાકમાં આવી વસ્તુઓ પસંદ કરવી જોઈએ જેથી શરીર હાઇડ્રેટેડ રહે અને એનર્જી પણ રહે. આજે અમે તમને કેટલાક ફ્રૂટ સલાડ વિશે જણાવવા જઈ રહ્યા…

Read More

 મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીની ખાસ પૂજા-અર્ચના કરવાંથી વ્યક્તિનાં તમામ કષ્ટ પણ દૂર થાય છે. જેઠ મહિનામાં આવતાં મંગળવાર ઘણાં શુભ માનવામાં આવે છે મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. આમ તો દર મંગળવારનું ખાસ મહત્વ હોય છે પણ જેઠ મહિનામાં આવતાં મંગળવાર ઘણાં શુભ માનવામાં આવે છે. આજે જેઠ મહિનાનો બીજો મંગળવાર છે. 24 મે 2022નાં રોજ વૃદ્ધ મંગળ (બુઢવા મંગળ) પણ કહેવાય છે. આ દિવસે હનુમાનજીની ખાસ પૂજા-અર્ચના કરવાંથી વ્યક્તિનાં તમામ કષ્ટ પણ દૂર થાય છે. આજનાં દિવસે હનુમાનજીની આરતી અને હનુમાન ચાલિસાનું પઠન કરવું. જો સમય મળે તો સુંદરકાંડનું પઠન કરવું અથવા તો આપ દિવસ દરમિયાન તેને સાંભળી…

Read More