- હોટેલ માં ચેકઆઉટ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નુકસાનથી બચી શકશો
- તહેવારોની સિઝનમાં આ મેક્સી ડ્રેસને દુપટ્ટા સાથે સ્ટાઈલ કરો,દેખાશો એકદમ અલગ
- રોંગ સાઈડ પર વાહન ચલાવવા થશે દંડ, રકમ જાણ્યા પછી તમે ક્યારેય નિયમો નહીં તોડો
- Airtel એ નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો, 26 રૂપિયામાં મળશે આટલી સુવિધાઓ
- બ્લડ પ્રેશર અચાનક વધવા લાગે તો કરો આ યોગ, સરળતાથી કંટ્રોલ થઈ જશે.
- નાસ્તામાં ઝટપટ તૈયાર કરો ટેસ્ટી ઓટ્સ અપ્પમ, અહીં જુઓ સરળ રેસિપી
- સુપ્રીમ કોર્ટના હજારો નિર્ણયોનું હિન્દીમાં ભાષાંતર કરાયું, AI ની મહત્વ પૂર્ણ ભૂમિકા
- ગુજરાતમાં આ વર્ષે તાવના દર્દીઓ વધ્યા, આઠ મહિનામાં 39 હજાર દર્દીઓ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો આદિત્યએ બાજીરાવની થીમ આધારિત પોતાનો વરઘોડો કાઢ્યો હતો. સૌથી વધારે આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું શાહી હાથી હાલમાં ગુજરાતમાં ચોરેતરફ લગ્નનો માહોલ વર્તાય રહ્યો છે, ત્યારે હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્નસમારોહ યોજાયો હતો, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે ને કે, લગ્નમો પ્રસંગ ખૂબ જ અનેરોહોય છે અને તેને યાદગાર બનાવવા ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લગ્નની કંકોત્રી થી લઈને જાન સુધીનીતમામ પળોને અનોખી બનાવે છે. હિંમત નગરની ગલીઓમાંથી નીકળેલ વરઘોડો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષયબન્યો છે કારણ કે ભાગ્યે જ કોઈ વરરાજાનો વરઘોડો શહેરમાંથી…
અમરેલી પાલિકાના ફાયર વિભાગને એક એવોર્ડ આપવામાં આવ્યો છે ફાયર અધિકારી એચ.સી.ગઢવીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લામાં ફાયર ટીમને એવોર્ડથી સન્માનીત કરવામાં આવી અમરેલી માટે ગર્વની વાત કહી શકાય તેવા સમાચાર આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. મળતી વધુ વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાને ગર્વ કહિશકાય તેમ ગાંધીનગર ખાતે અમરેલી પાલિકાના ફાયર વિભાગને એવોર્ડ આપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં સરહનીય કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને અમરેલી ફાયર વિભાગ દ્વારા લાઠીના તળાવ અને અમરેલીની હવેલીમાં લાગેલી આગની કામગીરીની ખાસ નોંધ લેવામાં આવી છે. અમરેલી…
નેપાળનું ભોજન પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે નેપાળની પરંપરાગત વાનગીઓમાંની એક દાળ-ભાત છે, ચાતુમરી એ ચોખાના લોટની કેક છે ભારતનો પાડોશી દેશ નેપાળ પ્રવાસન અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહીંનું ભોજન પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે. જો કે, નેપાળના ઘણા ખોરાક ભારતીય ખોરાક જેવા જ છે. પરંતુ અહીંના સ્વાદમાં એક અલગ જ સુગંધ જોવા મળે છે, જે ખાવાના શોખીન લોકોને ખૂબ જ પસંદ આવે છે. અહીંના સ્થાનિક લોકો ભારતીયોની જેમ બાજુમાં દાળ અને ચોખા ખાવાનું પસંદ કરે છે, જે નેપાળીમાં દાલ-ભાતના નામથી પ્રખ્યાત છે.આ સિવાય માત્ર માંસાહારીઓ માટે જ નહીં, શાકાહારીઓ માટે પણ…
મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ કેન્દ્રમાં મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થયા મોદી સરકારના 8 વર્ષમાં આ 8 યોજનાઓ ઘણી લોકપ્રિય બની કેન્દ્રમાં મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. મોદી સરકાર 2.0ની ત્રીજી વર્ષગાંઠ 26 મે એટલે આજે છે. ભાજપ 2014ની સરખામણીમાં 2019માં મોટી જીત સાથે સત્તામાં પરત ફર્યું. આ મોટી જીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં શરૂ કરવામાં આવેલી તમામ કલ્યાણકારી યોજનાઓએ મોટી ભૂમિકા ભજવી છે. જો કે, વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે તેમની સામે ઘણી સમસ્યાઓ હતી. સરકારના આ 8 વર્ષના સફરમાં કેટલીક યોજનાઓ ઘણી લોકપ્રિય થઈ છે. ત્યારે આવો એવી 8…
HDFC Bankએ કરોડો ગ્રાહકોને ખુશખબર આપી HDFC Bank એ રિકરિંગ ડિપૉઝીટ પર વ્યાજ દર વધાર્યા બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા બેંકે વધારવામાં આવેલા દરને 17 મે, 2022થી લાગુ કરી દીધા છે. ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંક તરફથી કરવામાં આવેલો આ ફેરફાર 27 મહિનાથી લઇને 120 મહિનાની આરડી પર લાગુ કર્યો છે. બેંક 6 મહિનાના આરડી પર 3.50 ટકાના હિસાબથી વ્યાજ આપવાનુ ચાલુ રાખશે. બેંક તરફથી 27 થી 36 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.20 ટકાથી વધારીને 5.40 ટકા કરવામાં આવ્યાં છે. તો 39 થી 60 મહિનામાં પાકતી આરડી પર વ્યાજ દર 5.45 ટકાથી વધારીને…
બનાસકાંઠામાં ખેડૂતોની મહારેલી ખેડૂતો ઢોલ-નગારા સાથે રેલીમાં જવા નીકળ્યા કરમાવદ તળાવ,મુક્તેશ્વર ડેમમાં પાણી આપવાની માંગ બનાસકાંઠામાં પાણીની માંગ હવે ઉગ્ર બની છે. ખેતી બચાવવા, ઢોરોની તરસ છીપાવવા તથા પીવાના પાણી માટે ખેડૂતોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.ત્યારે બનાસકાંઠામાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પાલનપુર તરફ કૂચ કરી છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઇને મહારેલીમાં જોડાવા નીકળી પડ્યા છે.ભારતીય કિસાન સંઘ પ્રેરિત ખેડૂતોની મહારેલીની શરુઆત થઇ ગઇ છે. 125 ગામના ખેડૂતો ટ્રેક્ટર ભરીને પાલનપુર જવા નીકળ્યા છે. ખેડૂતો ઢોલ નગારા સાથે રેલીમાં જોડાવા એકઠા થયા છે. ઢોલ નગારા વગાડીને લોકોને રેલીમાં જોડાવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોની બસ…
પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી કરી ઈમરાનખાનના સમર્થનમાં હજારો સમર્થકો આઝાદી માર્ચમાં જોડાયા પાકિસ્તાન વિરોધની આગમાં સળગી રહ્યું છે. શાહબાઝ સરકાર વિરુદ્ધ ઈમરાન ખાનનો પ્રહાર ચાલુ છે. નવી ચૂંટણીની માંગ સાથે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી માર્ચ ઈસ્લામાબાદ પહોંચી હતી. હજારોની સંખ્યામાં એકત્ર થયેલ પીટીઆઈ સમર્થકોનો આ મેળાવડો જ્યારે મોડી રાત્રે પાકિસ્તાનની રાજધાનીમાં પ્રવેશ્યો ત્યારે ત્યાં લાંબો જામ થયો હતો. જો કે, પ્રવેશ પહેલા ઘણી હિંસા થઈ હતી. ઈમરાન ખાનના સમર્થકોએ ઈસ્લામાબાદમાં મેટ્રો સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. આ પછી ત્યાં આગની ઉંચી જ્વાળાઓ જોવા મળી હતી. બુધવારે પાકિસ્તાનના અલગ-અલગ…
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા ઘૂસણખોરી કરી રહેલા લશ્કરના 3 આતંકવાદીઓ ઠાર આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા (LeT આતંકવાદીઓ)ના હોવાનું કહેવાય છે. કુપવાડાના જુમાગુંડ ગામમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસની ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ અંગે કાશ્મીર ઝોનના આઈજી વિજય કુમારે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ગુરુવારે સવારે થયેલા એક અથડામણમાં, પાકિસ્તાન સ્થિત સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. પોલીસને…
બદામની છાલમાંથી ખાતર બનાવી શકાય છે બદામ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચટણીના રૂપમાં બદામની છાલનું પણ સેવન કરી શકો છો. વાસ્તવમાં બદામ પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. વિટામિન E નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવતી બદામ સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. બીજી તરફ બદામની છાલ પણ ઓછી ફાયદાકારક નથી. તેથી, તેમને ફેંકી દેવાને બદલે, તમે તેનો ઉપયોગ અન્ય ઘણા હેતુઓ માટે પણ કરી શકો છો. તો ચાલો જાણીએ બદામની છાલનો ઉપયોગ કરવાની કેટલીક સરળ રીતો વિશે. તમે બદામની છાલનો ઉપયોગ છોડ માટે ખાતર તરીકે કરી શકો છો. બદામની છાલમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-માઇક્રોબાયલ,…
આ દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધશે. 6 ઓક્ટોબર, ગુરુવારે પાપાંકુશા એકાદશીનો છેલ્લો સંયોગ બનશે ઉપવાસ ન રાખી શકો તો વ્રત કરી શકો છો. 26 મે, ગુરુવારે અપરા એકાદશી વ્રત કરવામાં આવશે. આ વર્ષનો ત્રીજો એવો સંયોગ છે, જ્યારે ગુરુવારે એકાદશી તિથિ આવી રહી છે. બંનેના જ સ્વામી ભગવાન વિષ્ણુ હોવાથી આ દિવસે વ્રત અને પૂજા કરવી વધારે ખાસ રહેશે. આ એકાદશીએ તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોથી મળીને સૂર્યોદય સાથે જ 6 શુભ યોગ બનશે. જેના લીધે અપરા એકાદશી વ્રતનું અનેક ગણું શુભ ફળ મળશે અને આ દિવસે ભગવાન વિષ્ણુ-લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ વધશે. ગુરુવારે સૂર્યોદય સાથે જ…