Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બાંગલાદેશની યુવતી નદી તરીને ભારત પહોચી પશ્ચિમ બંગાળના અભિક મંડળ નામના યુવાન સાથે પ્રેમમાં હતી યુવતી ભારતમાં પ્રવેશવા જરૂરી પાસપોર્ટ ન હોવાથી ગેરકાનૂની રીતે પ્રવેશી હતી એક બાંગ્લાદેશી મહિલા અને ભારતના પશ્ચિમ બંગાળમાં રહેતા પ્રેમીને મળવાથી આંતરરાષ્ટ્રીય સરહદો પણ રોકી શકી નહીં. 22 વર્ષીય ક્રિષ્ના મંડલ નામની મહિલા એક કલાકથી વધુ સમય સુધી તરી નદી પાર કરી અને ભારતમાં પ્રવેશવા સુંદરવનથી પસાર થઈ હતી. પ્રેમ કહાની, જે એક શોર્ટ ફિલ્મ બનાવવા જેવી છે, આ પ્રેમ કહાની ફેસબુક પર શરૂ થઈ હતી જ્યાં કૃષ્ણ મંડલ અને અભિક મંડળ પ્રથમ મળ્યા હતા. બંને થોડા જ સમયમાં એકબીજાના ગહન પ્રેમમાં પહોચી ગયા હતા.…

Read More

હાર્દિક પટેલની આજે ભાજપમાં વિધિવત રીતે એન્ટ્રી C.R. પાટીલની હાજરીમાં ધારણ કર્યો કેસરિયો ખેસ રાષ્ટ્ર સેવામાં નાનો સિપાહી બનીને કામ કરીશ : હાર્દિક પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે આજે 12.39ના વિજય મુહૂર્ત ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ તકે પત્રકારોના સવાલનો જવાબ આપતાં હાર્દિકે કહ્યું હું જનતા માટે…

Read More

 સુરતીઓ અનેક પ્રકારની ચાની મજા લેતા જોવા મળે છે. ખાસ કરીને વડીલો તેની વધુ મજા માણી રહ્યા છે. ચા પ્રાકૃતિક ઘટકોની બનેલી હોવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, ઇમ્યુનીટી વધારે છે બજારમાં લેમન ટી,બ્લેક ટી, ગ્રીન ટી, વ્હાઈટ ટી એમ જાત જાતના ફલેવરવાળી ચા  મળી રહી છે, ત્યારે ચાની લિસ્ટમાં વ્હિસ્કી ફ્લેવરની ચાએ બાજી મારી છે. સુરતમાં મળી રહેલી આ વ્હિસ્કી ફલેવરની ચા નોન આલ્કોહોલિક છે અને ખાસ કરીને વડીલો તેની વધુ મજા માણી રહ્યા છે.સુરત શહેરમાં દરેક ગલી, મોહેલ્લા કે શેરીઓના છેડે આમ તો ચાની ટપરી જોવા મળે જ છે. ત્યારે પીપલોદ વિસ્તારમાં આવેલ કેસલ ટીમાં 100થી વધુ પ્રકારની ચાની…

Read More

કાલીકાંકરના રોફળોમાં પરવાના વગરની બંદૂક ધરાવતા શખ્સે જ ગોળીઓ છોડી બૂમાબૂમ થતાં ટોળાએ પથ્થરમારો કર્યો પોલીસકર્મીના થાપામાં ગોળી વાગી, SP, ડીવાયએસપી સહિત પોલીસ દોડી સાબરકાંઠા જિલ્લાન પોશીનાના કાલીકાંકરના રોફળોમાં રહેતો શખ્સ પરવાના વગરની બંદૂક ધરાવતો હોવાની બાતમી મળતાં પોશીના પોલીસે બુધવારે સવારે રેડ કરતાં આ શખ્સ ઘરમાં ધસી આવ્યો હતો અને પોલીસે કબ્જે લીધેલ દેશી બંદૂક આંચકી લઇ લોડેડ બંદૂકનું સીધું ફાયર ખોલી દેતાં પોલીસકર્મી અમિતભાઇ સાવનભાઇ મોડીયાના થાપાના ભાગે છરો વાગી ગયો હતો દરમિયાનમાં દોડી આવેલ ટોળાએ પથ્થર મારો શરૂ કરી દેતાં પાંચ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા.પોશીના પોલીસને કાલીકાંકર ગામના રો ફળોમાં રહેતા જોશીભાઇ તેજાભાઇ ગમાર ગેરકાયદે બંદૂક ધરાવતા…

Read More

ઓટો સેક્ટરમાં ચાર માસ બાદ તેજી મારુતિ હ્યુન્ડાઈ, તાતા મોટર્સનાં રેકોર્ડ વેચાણો નોંધાયાં પેસેન્જર વેચાણો મેમાં બમણાથી વધ્યાં, ત્રિમાસિકમાં 9 લાખ વાહનો વેચાવાનો આશાવાદ તહેવારોની સિઝન બાદ ઓટોમોબાઈલ સેક્ટરમાં સર્જાયેલી મંદીમાં મજબૂત રિકવરી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે સેમી કંડ્કટરની અછતના પડકારો વચ્ચે દેશમાં પેસેન્જર વાહનોની મજબૂત માગ સાથે વેચાણો વધ્યા છે. મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કિઆ મોટર્સ, ટોયોટા, હોન્ડા અને સ્કોડા સહિતની ઓટો કંપનીઓએ રેકોર્ડ વેચાણો નોંધાવ્યા છે. દેશની ટોચની ઓટોમોબાઈલ મારૂતિ સુઝુકીએ મેમાં 134222 કાર વેચી હતી. ગતવર્ષે સમાનગાળામાં 35293 વાહનો વેચ્યા હતાં. નવી કાર માટે પૂછપરછ અને બુકિંગમાં મજબૂત રિકવરી રહી…

Read More

શ્વેતા બ્રહ્મભટ્ટ 11 વાગ્યે કેસરીયો ધારણ કરશે હાર્દિક પટેલ કોબા સર્કલથી સમર્થકો સાથે રેલી કાઢશે 2 હજાર કાર્યકર્તા સાથે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ હાર્દિક પટેલે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીયો પહેરવાનું નક્કી કરી લીધું છે હાર્દિકને ભાજપમાં જોડવા માટે અલગ પ્રોગ્રામ કરવામાં આવે તેવી હાર્દિક એ જીદ પકડી છે, આ પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ અને હાર્દિક પટેલ બંને જોડે જ ભાજપમાં જોડાવાના હતા, પણ હવે હાર્દિકની જીદના કારણે ભાજપે નમતું જોખ્યું છે અને આજે હવે 11 વાગે શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમના હોલમાં ભાજપનો કેસરીયો ધારણ કરશે, જ્યારે 12 વાગે હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે.બંને નેતાઓએ તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું…

Read More

સરકારે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ,  નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે સહકારી સમિતિઓ પણ જેમ પોર્ટલથી સામાન ખરીદી શકશે ગરીબ, મહિલા અને એસએચજીનું કલ્યાણ કરવામાં આવ્યું છે સરકારે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ,  નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે, જેથી કોઈ પણ વ્યક્તિ ઈ-કોમર્સ પ્લેટફોર્મ GeM સાથે જોડાઈને બિઝનેસ કરી શકે. સરકારી ઈ-માર્કેટ પ્લેસ એ એક ઓનલાઈન માર્કેટ છે, જેના દ્વારા સરકાર સાથે જોડાઈને લોકોનું બિઝનેસ કે બિઝનેસ કરવાનું સપનું પૂરું થઈ શકે છે. હવે સરકારે જેમ પોર્ટલથી સામાન ખરીદે છે. અલગ અલગ વિભાગ અને સરકારી ઉપક્રમે પણ જેમ પોર્ટલથી ખરીદીની શરૂઆત કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, જેમ પોર્ટલ પર ખરીદી સતત વધી…

Read More

રેકોર્ડબ્રેક NEET PG 2022ના પરિણામો 10 દિવસમાં જાહેર થયા બોર્ડ અને ઉમેદવારોને શુભકામના આપતા મનસુખ માંડવિયા ઉમેદવારો સ્કોર કાર્ડ 8 જૂનથી ડાઉનલોડ કરી શકાશે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને NEET PG 2022 પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. NEET PGનું પરિણામ રેકોર્ડબ્રેક રીતે પ્રથમવાર 10 દિવસમાં જ જાહેર કરવામાં આવ્યું છે. આ માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ પણ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનની પ્રશંસા કરી હતી. જે ઉમેદવારોએ NEET PG 2022ની પરીક્ષા આપી હતી તેઓ natboard.edu.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. આ તકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું હતું કે,“હું…

Read More

આમળાના સેવનથી લોહીની કમીને દૂર કરી શકાય છે. આમળામાં રહેલા પોષક તત્વ ઈમ્યુનિટીને વધારે છે. સંક્રમણથી બચાવવામાં ઈમ્યુનિટી મહત્વની ભૂમિકા નિભાવે છે. મહત્વ નું છે કે આમળાના સેવનથી લોહીની કમીને દૂર કરી શકાય છે. આમળામાં રહેલા પોષક તત્વ ઈમ્યુનિટીને વધારે છે. આમળા એક એવા સુપરફૂડ છે, જે આરોગ્ય માટે વધુ ગુણકારી માનવામાં આવ્યાં છે. સવારે ભૂખ્યા પેટે આમળાના જ્યુસનુ સેવન શરીરને ઘણા લાભ પહોંચાડવામાં મદદ કરી શકે છે. જેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળશે. સવારે ભૂખ્યા પેટે આમળાનુ જ્યુસ પીવાના ઘણા લાભ છે. કોરોના અને સંક્રમણથી બચાવવામાં ઈમ્યુનિટી મહત્વની ભૂમિકા નિભાવે છે. હકીકતમાં મજબૂત ઈમ્યુનિટી શરીરને અનેક બિમારીઓની ઝપેટમાં આવવાથી…

Read More

રંભા ત્રીજ વ્રત કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે આ દિવસે શિવ-પાર્વતી પૂજાનું મહત્ત્વ વધી જશે પૌરાણિક કથાઓ પ્રમાણે અપ્સરા રંભાએ આ વ્રત કર્યું હતું પરણિતાઓ સોળ શ્રૃંગાર કરી  સૌભાગ્ય માટે રાખે છે રંભા ત્રીજનું વ્રત: જાણો શું છે તેનું મહત્વ હિંદુ ધર્મ ગ્રંથો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને રંભા ત્રીજ અથવા રંભા તૃતીયા વ્રત કહેવામાં આવે છે.ગુરુવાર હોવાથી આ દિવસે શિવ-પાર્વતી પૂજાનું મહત્ત્વ વધી જશે. પરણિતાઓ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે. મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સૌભાગ્ય અને સંતાન સુખની ઇચ્છાથી આ વ્રત કરે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતી સાથે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. પૌરાણિક…

Read More