What's Hot
- સ્ટારલિંક ટૂંક સમયમાં ભારતમાં પ્રવેશ કરશે! તેના સેટઅપ અને એક મહિનાના રિચાર્જનો ખર્ચ જાણો
- કરોડો Jio વપરાશકર્તાઓ માટે મોટી રાહત, 895 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી મળશે
- રોહિત શર્માના વિસ્ફોટક પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષ પછી CSK ને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં કૂદકો માર્યો
- ચેન્નાઈ આ સિઝનમાં 6 મેચ હારી ગયું છે, હવે તે પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?
- ડેવિડ વોર્નરને પાછળ છોડી રોહિતે બનાવ્યો આ રેકોર્ડ, હવે ફક્ત બે ખેલાડીઓ તેનાથી આગળ
- દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે? દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી, જાણો નવું અપડેટ
- કુશીનગરમાં બ્રેઝા ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના ઘટનાસ્થળે જ મોત; 2 લોકો ઘાયલ
- ડૉ.મનસુખ માંડવિયાએ રાજકોટમાં સાઇકલ ચલાવી, રાહુલ બોઝે ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાઇકલ’માં ભાગ લીધો
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
શિયાળામાં વાળની કેર કરવાની કેટલીક સરળ રીત ઘરે પડેલ વસ્તુથીજ વાળની કરો કેર નાળિયેર તેલ, દહી, કેળાં જેવી વસ્તુનૂ કરો ઉપયોગ કેટલાક લોકો આખા વર્ષ દરમિયાન સ્કૅલ્પ ઉપરની ચામડીની શુષ્કતાથી પરેશાન રહે છે, જ્યારે કેટલાક માટે તે મોસમી સમસ્યા છે જે મોટાભાગે ઠંડી, સૂકી મોસમમાં થાય છે. આ દરમિયાન, ખોડો, સ્કૅલ્પ ઉપરની ચામડીમાં ખંજવાળ અને માથાની ચામડીમાં દુખાવોની સમસ્યા નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિવાય વાળ સંબંધિત સમસ્યા પણ વધે છે. આવી સ્થિતિમાં, તમે ઘણા ઘરેલું ઉપચાર અજમાવી શકો છો જે વાળ અને માથાની ચામડીને પોષણ આપી શકે છે. ચાલો જાણીએ કે માથાની ચામડીની શુષ્કતા ટાળવા માટે તમે કયા…
ગુજરાતી ઈન્ડસ્ટ્રીના ત્રણ એક્ટર થયા કોરોના સંક્રમિત દીક્ષા જોશી, હેમાંગ દવે અને મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ ત્રણેય એક્ટર હોમ આઇસોલેશનમાં ગયા ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. બોલિવૂડ તથા ટીવી ઇન્ડસ્ટ્રી બાદ હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો કોરોનાનો ભોગ બન્યા છે. ગુજરાતી એક્ટ્રેસ દીક્ષા જોશી, એક્ટર હેમાંગ દવે તથા મિત્ર ગઢવીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દીક્ષાએ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, ‘2022માં હું આમ કરીશ.. હું વર્કઆઉટ રોજ કરીશ, પરંતુ હાલમાં હું કોવિડ પોઝિટિવ છું અને ડૉક્ટરે મને શ્રમ કરવાની ના પાડી છે. શું યાર..’ દીક્ષા હાલમાં હોમ આઇસોલેશનમાં છે અને સેફ્ટી…
કોરોના દહેશત વચ્ચે પતંગ ઉત્સવ નું ભવ્ય આયોજન જાહેર જનતાને પતંગ ઉત્સવમાં આવવા ખુલ્લું આમંત્રણ દેશ વિદેશના પતંગબાજો પતંગ સાથે કોરોના લાવશે? કોરોનાના કેસો વધતા એકબાજુ શહેરીજનો ભારે ફફડી રહ્યા છે. તો બીજીબાજુ કોરોનાથી બચવાનારા પાલિકા, વહીવટીતંત્ર અને પ્રવાસ નિગમન દ્વારા સંયુકત રીતે નવમી જાન્યુઆરીના રોજ શહેરના મેયરના પ્રમુખ પદ હેઠળ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવા જઇ રહ્યા છે. જેમાં 18 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહિત અલગ અલગ રાજયોના 100 થી વધુ પતંગબાજો આવશે. લોકોમાં ભારે રોષ છે કે આ તો ખુલ્લેઆમ કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યુ છે. સુરતીલાલાઓ માટે વર્ષની શરૃઆત સાથે જ આવતો પ્રથમ તહેવાર એટલે મકર સંક્રાતિ ઉજવવા માટે તલપાપડ…
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેર વચ્ચે સરકારનો નિર્ણય વાઈબ્રન્ટ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવામા આવી વાઈબ્રન્ટ સમિટમાં દેશ વિદેશથી વેપારીઓ આવવાના હતા રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણ સાથે નવો વેરિઅન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનના આ…
કોરોનાનો રાફડો ફાટયો નવા 58 હજાર સંક્રમિત થયા સાડાપાંચ મહિના પછી પહેલીવાર આટલા બધા કેસ નોંધાયા અનેક રાજ્યોએ નિયમો કડક કર્યા, ગાઈડ લાઇન લાદી મંગળવારે દેશમાં કોરોના કેસોમાં વિસ્ફોટ જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના દર્દીઓની સંખ્યામાં 56%ના વધારા સાથે 58 હજાર 97 કેસ સામે આવ્યા છે, જ્યારે 534 લોકોનાં મોત થયાં છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 2 લાખ 14 હજાર થઈ છે. દેશમાં અત્યારસુધી 3.43 કરોડ કેસ નોંધાયા છે, જ્યારે 4.82 લાખ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધી કુલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝ અપાયા છે. દેશમાં સાડાપાંચ મહિના પહેલાં, એટલે કે 19 જુલાઈના રોજ…
રાશિ ભવિષ્ય : 5-1-2022 વિક્રમ સંવત 2078 સાકૅ ૧૯૪૩ વીર સવંત 2548પોસ સુદ શુક્લ પક્ષ. તિથિ ત્રીજ બુધવાર તારીખ .5.1.2022 દૈનિક પંચાંગ આજે સૂર્ય ઉદય 7:00 અને 15 મીનીટે આજે સૂર્ય અસ્ત સાંજે 18.25 આજની રાશી મકર. અક્ષર . ખ .જ . જ્ઞ. આજનું નક્ષત્ર. શ્રવણ.. આજનો યોગ. વજ્ર આજે કરણ. I વરિયાન. આજે અભિજીત વિજય મુહૂર્ત12:15 થી 12:52 આજે રાહુકાળ બપોરે 3:05થી4:30 આજે પંચક નો પહેલો દિવસ વિછુડો નથી આજે વ્રજ મુશળ યોગ છે આ જે રાજયોગ છે. આજે શુક્ર પશ્ચિમમાં આ મહિનો ધનસંક્રાંતિએટલે કે સૂર્ય ધન રાશિમાં છે ધનારક કમુરતા ચાલે છે. દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિ-…
લીંબુની છાલથી શરીરને અનેક ફાયદાઓ થાય છે વજન ઘટાડવામાં મદદ કરે છે લીંબુની છાલ લીંબુની છાલમાં ભરપૂર માત્રામાં ફ્લેવાનોઈડ જેવા પોષક તત્વો હોય છે આપણે રોજ બરોજના જીવનમાં લીંબુનો ખૂબ ઉપયોગ કરતાં હોઈએ છીએ પરંતુ શું તમને ખબર છે કે લીંબુની છાલથી અનેક ફાયદાઓ થાય છે. લીંબુનો રસ સ્વાસ્થ્ય જાળવવા ઉપરાંત ત્વચાને સુંદર બનાવવા માટે પણ ઉપયોગી છે. લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી હોય છે જે સ્વાસ્થ્ય ઉપરાંત વાળના ગ્રોથ માટે પણ ઉપયોગી છે. તે સિવાય તેની છાલ પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીંબુની છાલ વજન ઘટાડવા ઉપરાંત અન્ય કેટલીક રીતે પણ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે લીંબુના રસનો…
કોરોના મહામારી બાદ બેરોજગારીમાં આવ્યો ઉછાળો ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો શહેરી ક્ષેત્રોમાં બેરોજગારી દર વધીને ૯.૩ ટકા અને ગ્રામીણ વિસ્તારમાં ૭.૩ ટકા કોરોના મહામારીના ફટકા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીના સંકેતો વચ્ચે પણ વધી રહેલી બેરોજગારી ચિંતાજનક બાબત છે. ડિસેમ્બર ૨૦૨૧માં ભારતનો બેરોજગારી દર ૭.૯ ટકાની ચાર મહિનાની ટોચે પહોંચ્યો છે એવું સરકારી આંકડામાં જાણવા મળ્યુ છે. સેન્ટ્રલ ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએમઆઇઇ)ના આંકડા મુજબ ડિસેમ્બરમાં બેરોજગારી દર વધીને ૭.૯ ટકા થયો છે જે ઓગસ્ટના ૮.૩ ટકા પછીનો સૌથી ઉંચો બેકારીનો દર છે. તાજેતરમાં કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો એકાએક વધતા ઘણા રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત…
સલમાન ખાનની ત્રિપલ રોલ વાળી ફિલ્મ આવશે? નો એન્ટ્રીની સિકવન્સ બનાવવામાં આવશે બહુ જલદી જ આ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે સલમાન ખાનની ફિલ્મ નો એન્ટ્રી સાલ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ટંકશાળ પાડી હતી. હવે લાંબા સમયથી આ ફિલ્મની સિકવલની તૈયારી થઇ રહી છે. જેનું નામ નો એન્ટ્રી મેં એન્ટ્રી હોવાનું કહેવાય છે. જોકે આ ફિલ્મની સિકવલ બનાવાની યોજનાની ચર્ચા ઘણી વખત થઇ છે, પરંતુ પછીથી પડતી મુકાઇ છે. જોકે હવે રિપોર્ટ છે કે, આ ફિલ્મના આગલા ભાગની ફિલ્મસર્જકે તૈયારી શરૂ કરી દીધી છે. સલમાન ખાને પોતાના જન્મદિવસે ફિલ્મ નો એન્ટ્રીની સિકવલની અનિસ બઝમી સાથેની…
ભારત શ્રેણી જીતવાના ઇરાદે આવશે ક્રિઝ પર જોહનીસબર્ગના વાન્ડેરેર્સ ગ્રાઉન્ડમાં ભારત ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી સાઉથ આફ્રિકા શ્રેણી બચાવવા માટે ઝઝુમશે સેન્ચુરિયનમાં ૧૧૩ રનથી યાદગાર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ આવતીકાલથી જોહનીસબર્ગમાં શરૃ થઈ રહેલી સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની સાથે શ્રેણી જીતી લેવાના ઈરાદા સાથે ઉતરશે. ભારત અત્યાર સુધી ક્યારેય સાઉથ આફ્રિકાની ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી અને કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી વિજયની સિદ્ધિ હાંસલ કરવા માટે હોટફેવરિટ છે. આવતીકાલથી શરૃ થનારી ટેસ્ટ જોહનીસબર્ગના વાન્ડેરેર્સ સ્ટેડિયમમાં રમાશે. ભારત આ મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું નથી. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની શ્રેણીની…