What's Hot
- પેપર લીક કેસમાં SDM હનુમાન રામની ધરપકડ, SOG એ કાર્યવાહી કરી
- નવકાર મહામંત્ર કાર્યક્રમમાં પીએમ મોદી જૂતા પહેર્યા વિના પહોંચ્યા, લોકોની વચ્ચે બેઠા; કહ્યું- ‘સંસદ ગૃહમાં જૈન ધર્મનો પ્રભાવ’
- રાહુલ ગાંધીએ કહ્યું- વક્ફ સુધારો બિલ ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણ પર હુમલો છે, RSS પર પણ નિશાન સાધ્યું
- સુરતમાં ડાયમંડ કંપનીના વોટર કુલરમાં કોણે ઝેર ભેળવ્યું? ૧૧૮ કર્મચારીઓ હોસ્પિટલ પહોંચ્યા
- ડોનાલ્ડ ટ્રમ્પે હવે ચીન પર 125% ટેરિફ લાદ્યો, જ્યારે મોટાભાગના દેશોને 90 દિવસની મોટી રાહત આપી
- રેપો રેટ ઘટાડા બાદ આ 4 સરકારી બેંકોએ વ્યાજ દર ઘટાડ્યા, હોમ લોન, કાર લોન થઈ સસ્તી
- હવે FD પર મોટું વળતર નહીં મળે, આ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દર ઘટાડ્યા
- તમારી આ આદતો કિડનીના ખૂની બની જાય છે, તેને સુધારી લો નહીંતર કિડની ફેલ થવામાં લાંબો સમય નહીં લાગે.
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર ખાતર પર સબ્સિડી વધારશે સરકાર ખેડૂતો પર બોઝ આપવા નથી માગતી સરકાર દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબસીડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર સબસીડી નહીં વધારે…
હિંમતનગરમાં રામનવમી હિંસા બાદ ફરીવળ્યું દાદાનું બુલડોઝર ડિમોલેશનને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો રામનવમીના દિવસે હિંસા બનેલ વિસ્તારમાં ડિમોલેશન કરાયું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમી હિંસા બાદ ફરીવળ્યું દાદાનું બુલડોઝર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં રામનવમી માં આમને સામને પથ્થર મારો થયેલ હતો, ત્યાર પછી સમગ્ર શહેર માં હિંસા ભડકી ઉઠી હતી જેમાં ત્રણ દરગાહ એક મસ્જિદ, હોન્ડા અને હુન્ડાઈ ના બે શોરૂમ તેમજ અન્ય પાંચ થી સાત દુકાનો લૂંટી ને આગને હવાલે કરી દેવાઈ હતી, જેમાં લઘુમતી લોકોનું કરોડો રૂપિયા માં નુકસાન થયેલ છે, જેની ભરપાઈ થઇ શકે તેમ નથી, ત્યાર બાદ એક ન્યૂઝ પેપર માં…
વીટોના ઉપયોગના મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી આદેશ રાજકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વીટોનો ઉપયોગ કર્યો છે નવા સ્થાયીને આપવામાં આવશે અધિકાર વીટોના ઉપયોગના મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી આદેશ પરના ઠરાવમાં ભારતે વિશ્વ સમક્ષ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત આર રવિન્દ્રએ કહ્યું કે વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર માત્ર પાંચ સભ્ય દેશોને આપવામાં આવ્યો છે. યુએનજીએ તેના વિશે ઘણું કરી શકે તેમ નથી, કારણ કે અસરકારક રીતે P-5 પાસે વીટો છે. તમામ 5 સ્થાયી સભ્યોએ છેલ્લા 75 વર્ષમાં તેમના સંબંધિત રાજકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વીટોનો ઉપયોગ કર્યો છે.એમણે કહ્યું, “અમારા આફ્રિકન ભાઈઓ…
ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા શિકાર માટે ગાયોનો કર્યો પીછો સિંહોના આટાફેરા કેમેરામાં થયા કેદ ભારતમાં ફક્ત ગીરના જંગલમાં સિહ વસવાટ કરે છે. ત્યારે સિંહને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ગીરના જંગલમાં આવતા હોય છે જુનાગઢ જિલ્લામાં અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જેના વિડીયો પણ અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારે વધુ એક વખત અમરેલી જિલ્લાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા હતા. મોરજરના બસ સ્ટેન્ડ નજીક બે…
કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ ચેતવણી આપી કોરોનાની ચોથી લહેર આવશે લોકોને સાવધાની રાખવા આપી સૂચના કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. તેમણે રસીકરણ અને માસ્ક પહેરવા જેવી સાવધાની રાખવા અને વાયરસ સાથે જીવવાની આદત પાડવા પર ભાર આપ્યું છે. મંત્રીએ કહ્યું કે, વાયરસના પ્રચલિત રૂપોમાં ઓમિક્રોનની ઉપ વંશાવલી કહેવાય છે અને તે…
બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી રિયાન પરાગે છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા રાજસ્થાન રોયલ્સનો યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના શાનદાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલ વચ્ચે IPL મેચ દરમિયાન ઉગ્ર દલીલ થઈ હતી જ્યારે રિયાન પરાગે પટેલની છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા હતા. રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી અને 31 બોલમાં અણનમ 56 રન બનાવ્યા. તેણે ઇનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલ સામે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. બાદમાં રાજસ્થાન 29 રનથી મેચ હારી ગયું હતું. અંતિમ ઓવરમાં રિયાન પરાગે પટેલને ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ફટકારતાં જ બંને ખેલાડીઓ વચ્ચે…
ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા થશે રાજ્યના પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરાશે આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા કરાશે આ સાથે મહેસૂલ વિભાગના કાયદામાં સુધારો, વિવિધ વિભાગના બજેટની નાણાંકીય મંજૂરીની બાબત અને ચણાની ખરીદી બાબતે ચર્ચા થઈ શકે છે. રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની…
લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં મોત, 15 ઘાયલ તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ રથ ક્ષતિગ્રસ્ત થયો તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેમાં બે બાળકો સહિત 11 લોકોના મૃત્યુ થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી હતી. રાજ્યના CM એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ…
વર્ષનું 30એપ્રિલે છે પહેલુ સૂર્ય ગ્રહણ શનિશ્વરી અમાસ 30 એપ્રિલેરહેશે ભારતમાં સૂર્ય ગ્રહણની કોઇ અસર નહી 30 એપ્રિલ 2022નો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. કારણ કે આ દિવસે શનિવાર અને તેમાં પણ અમાસ. એટલે શનિશ્વરી અમાસ છે. તો બીજી તરફ આ દિવસે વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ થવા જઇ રહ્યું છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહી એટલે તેની કોઇ ભારત પર કોઈ અસર નહીં થાય, પરંતુ સૂર્યગ્રહણ પહેલા ગ્રહોની સ્થિતિ વિશે જોઇએ તો ઘણી રાશિના જાતકોને તે ફાયદો કે નુકસાન પહોંચાડી શકે છે. સૂર્ય ગ્રહણ પહેલા શનિ-રાહુનું પરિવર્તન સૂર્યગ્રહણ પહેલા શનિ અને રાહુ કેતુ જેવા મુખ્ય ગ્રહોમાં પરિવર્તન…
જીતુ વાઘાણીએ રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે કરી બેઠક CCC પરીક્ષામાં ફરજિયાત નિયમો દુર કરાશે 2016થી બંધ CAS સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે ગાંધીનગર ખાતે આજ રોજ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનો સાથે બેઠક કરી તેમાં પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. આ બેઠકમાં મહત્વના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યા છે. ખાસ કરીને ટ્રીપલ CCCની પરીક્ષાના નિયમોમાં ફેરફાર થશે. કોલેજોમાં આચાર્યની ભરતી કરવામાં આવશે તેવો પણ નિર્ણય કરાયો.ગાંધીનગર ખાતે આજરોજ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય અધ્યાપક મંડળના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. CCC પરીક્ષામાં ફરજિયાત નિયમોમાં ફેરફાર થશે. હવેથી CCC પરીક્ષામાં…