What's Hot
- શું છે Cool Roof ટેકનોલોજી? ગરમીમાં પણ, તમને ઘરની અંદર શિયાળાની ઠંડક મળશે.
- ગૂગલને લાગ્યો કરોડોનો ફટકો, એન્ડ્રોઇડ ટીવી કેસમાં થયું સમાધાન
- ટીમ ઈન્ડિયાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી, આ ટીમો 2025 માં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરી ચૂકી છે
- કોલકાતાની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ટીમના કરોડો રૂપિયા ડૂબી ગયા
- KKR ની હાર માટે કેપ્ટન રહાણેએ કોને જવાબદાર ઠેરવ્યા? મેચ પછી તેણે કહી આ વાત
- યોગી રાજમાં થઇ 33 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાંની જવાબદારી મળી?
- અશ્વિની બિદ્રે હત્યા કેસમાં સજાની જાહેરાત, દોષિત પૂર્વ પોલીસ અધિકારીને ફટકારાઇ આજીવન કેદની સજા
- બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી, સામે આવ્યું આ ગેંગનું નામ
Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ઉત્તર પ્રદેશમાં તોફાને તાંડવ મચાવ્યું ધૂળ ડમરી અને વિજળી પડવાથી લોકોના મોત થયા સરકારી આંકડા અનુસાર 39 લોકોના મોત થયાં ઉત્તર પ્રદેશમાં વરસાદ અને તોફાની પવનથી એક દિવસમાં લગભગ 39 લોકોના મોત થઈ ગયા છે. રાજ્ય સરકારે મંગળવારે આ પ્રકારની જાણકારી આપી હતી. સરકારે જણાવ્યું હતું કે, સોમવારે મોટા ભાગની ઘટનાઓ ધૂળ, ડમરી અને વિજળી પડવા તથા ડૂબવાના કારણે થયા છે. મુખ્યમંત્રી તરફથી મૃતકના પરિવારોને 4 -4 લાખ રૂપિયા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. યુપી સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, સોમવારે ધૂળ ભરેલી ડમરી, વિજળીના કડાકા અને ડૂબવાના કારણે અલગ અલગ ઘટનાઓમાં 39 લોકોના મોત થઈ ગયા,…
PM મોદી 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપશે. PM મોદીએ જાપાનમાં ક્વોડ રાષ્ટ્રોના નેતાઓ સાથે ભાગ લીધો જપાનમાં PM મોદીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ક્વાડ ગ્રૂપની બેઠકમાં ભાગ લેવા માટે PM મોદીની જપાનની બે દિવસીય મુલાકાત પૂરી થઈ ગઈ છે અને હવે તેઓ ભારત પાછા ફર્યા છે. તેમનું વિમાન આજે સવારે દિલ્હીના પાલમ સ્થિત એરફોર્સ સ્ટેશન પહોંચ્યું હતું. તે જ સમયે, હવે PM મોદી 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં હાજરી આપશે. આ બેઠક પીએમના નિવાસસ્થાને જ યોજાશે. આ ચોથી વખત હતું જ્યારે PM મોદીએ જપાનમાં ક્વોડ રાષ્ટ્રોના નેતાઓ સાથે વાતચીતમાં ભાગ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયા, જપાન, અમેરિકાનો સમાવેશ…
મોદી સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે જાહેરાત કરી અગાઉ ઘઉંની નિકાસ પર મૂકાયો છે પ્રતિબંધ દેશમાં ખાંડના ભાવમાં મોટો ઉછાળો આવતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્ર સરકારે 6 વર્ષમાં પહેલી વાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે નિર્ણય અંગે જાહેરાત કરી છે. 1 જૂનથી ખાંડ નિકાસ પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, મલેશિયા અને આફ્રિકન દેશો ભારતમાંથી મહત્તમ ખાંડ ખરીદે છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક ભારતમાં સૌથી વધુ ઉત્પાદન કરતા રાજ્યો છે. માત્ર…
દાંતની સમસ્યા દુનિયાભરમાં ખૂબ કોમન દાંતોની સમસ્યા થવા પર ઘણી વખત દુખાવો નથી થતો આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરને બતાવો આજના સમયમાં દાંતની સમસ્યા ખૂબ જ કોમન થઈ ગઈ છે જે દરેક ઉંમરના લોકોમાં જોવા મળી રહી છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 85થી 90 ટકા લોકોને દાંતોની કેવિટી હોય છે. લગભગ 30 ટકા બાળકોના જડબા અને દાંત યોગ્ય નથી હોતા. ભારતમાં 50%થી વધારે લોકો ડેન્ટિસ્ટની પાસે જવાના કારણે કેમિસ્ટ વાળા પાસેથી સલાહ લે છે અને ફક્ત 28% ભારતીય જ દિવસમાં બે વખત બ્રશ કરે છે. જો કોઈ દાંતની નિયમિત દેખરેખ અને ચેક-અપ કરાવે છે તો દાંતની સમસ્યાથી સરળતાથી…
ભોજન કરવા માટે કઈ દિશા છે શુભ ધનલાભ માટે કઈ દિશા તરફ મો રાખીને જમવુ છે યોગ્ય સારા સ્વાસ્થ માટે કઈ દિશા છે યોગ્ય પોષક ભોજન કરવાની સાથે સાથે તે પણ જરૂરી છે કે, ભોજન યોગ્ય રીતે યોગ્ય સ્થાન પર કરવામાં આવે. જો ભોજન બનાવવાની કે ભોજન કરવાની જગ્યા કે પદ્ધતિ ખોટી હોય તો જીવનમાં ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડે છે. આ ભૂલો ધનહાનિ, બિમારીઓ વગેરેનું કારણ બને છે. આજે આપણે વાસ્તુ શાસ્ત્રના એવા નિયમો વિશે જાણીએ જેનું પાલન કરવાથી વ્યક્તિની ઉંમર લાંબી થાય છે. તેની આર્થિક સ્થિતિ સારી થાય છે. સ્વાસ્થ્ય સારું રહે છે. આ બાબતમાં ભોજન કરતી વખતે…
મર્સિડીઝ બેન્ઝ 300 SLRની રેકોર્ડ કિંમતે હરાજી કરવામાં આવી છે જર્મનીના સ્ટુટગાર્ટમાં મર્સિડીઝ બેન્ઝ મ્યુઝિયમમાં 5 મેના રોજ હરાજી થઈ હતી. જર્મન કાર નિર્માતાએ હરાજી પ્રક્રિયામાં કડક નિયમો લાદ્યા હતા. મર્સિડીઝ બેન્ઝ 300 SLRની રેકોર્ડ કિંમતે હરાજી કરવામાં આવી છે. આ હરાજીએ Ferrari 250 GTO માટે હરાજીનો રેકોર્ડ તોડ્યો હતો જે 70 મિલિયન ડોલરમાં વેચાઇ હતી. યુકે સ્થિત વેબસાઈટ હેગર્ટી અનુસાર, જર્મન કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝ 300 એસએલઆર રેસિંગ કાર 142 મિલિયન ડોલર (રૂ. 11,000 કરોડ)માં વેચાઈ છે. આ રેકોર્ડ હવે મર્સિડીઝ-બેન્ઝ 300 SLR Uhlenhaut Coupe પાસે છે, જે 143 મિલિયન ડોલરમાં વેચવામાં આવી છે. ઓક્શન હાઉસના જણાવ્યા અનુસાર, જર્મનીના…
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજકોટ વાસીઓને ઠંડક પહોચડતા મેઘરાજા શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજાના અમી છાટણા વરસાદ વરસતા નાગરિકોને અસહ્ય બફારાથી ક્ષણિક રાહત થઈ ઉનાળાની શરૂઆત સાથે જ રાજયમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી હતી. સિઝનમાં લોકો ગરમીમાં ખૂબ સેકાયા છે, ત્યારે હવામાના વિભાગ દ્વારા રાજયમાં છૂટા છવાયા વરસદની આગાહી કરવામાં આવી છે.અને લોકોને ગરમીથી રાહત પણ મળશે તેવી આગાહી કરવામાં આવી હતી. જેના અનુસંધાને ઉનાળાની કાળઝાળ ગરમી મા રાજકોટ વાસી ઓને મેઘરાજા એ ઠંડક પહોંચાડી છે. રાજકોટ ના અનેક વિસ્તારો મા મેઘરાજા રિમઝિમ સ્વરુપે વરસ્યા હતા. અત્યારે મેઘરાજા એ ચોમાસા પુવઁ એ વરસાદ વરસાવી ને તેના આવનારા આગમન ની છડી…
5 ગોલાના ધંધાર્થી પાસેથી 83 કિલો વાસી માવા રબડી મળી બિન આરોગ્યપ્રદ રબડીનો નાશ કરવામાં આવ્યો ખાણીપીણીના 20 ધંધાર્થીને ત્યાં ચેકિંગ કરાયું રાજકોટમાં આઝાદ હિન્દ, રામ ઔર શ્યામ સહિત 5 ગોલાના ધંધાર્થી પાસેથી 83 કિલો વાસી માવા રબડી મળી આવી હતી. ઉનાળાની ઋતુ દરમિયાન આઇસગોલાનો ખાદ્યચીજ તરીકે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ ખાતે આવેલ આઇસગોલાનું વેચાણ કરતી 5 પેઢીમાં તપાસ દરમિયાન બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલા માવા અને કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડીનો 83 કિલો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મોરબી રોડ,…
ગામના 3000થી વધુ લોકો અમેરિકામાં વસવાટ કરે છે રાજ્ય બહારના પણ લોકો વિઝાની માનતા માનવા આવે છે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. દેશમાં અનેક એવાં મંદિરો આવેલાં છે, જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા ધરાવતાં હોય છે. એવું જ એક મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુઓમાં અનેરી આસ્થા છે. એવું કહેવામાં આવે છે કે અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો એ ફળે છે. આ આસ્થાના કારણે જ ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતનાં અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની…
ઓમિક્રોન વેરિયન્ટના પેટા પ્રકાર BA.5 નો પ્રથમ એક કેસ વડોદરામાં નોંધાયો જોકે દર્દી સાજો થઇને સાઉથ આફ્રિકા પરત ફરી ચુક્યો છે સંક્રમિત યુવકને પણ તાવ , ઠંડી લાગવી , ખાસી ,શરદી જેવા લક્ષણો હતા વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પેટા પ્રકાર BA.5 નો પ્રથમ એક કેસ નોંધાયો છે.જોકે દર્દી સાજો થઇને સાઉથ આફ્રિકા પરત ફરી ચુક્યો છે. કોરોનાની ત્રીજી લહેરે વિદાય લીધી છે.પરંતુ હજુ તેના નવા વેરિયન્ટ ક્યાંકને ક્યાંક દેખા દઇ રહ્યા છે.ત્યારે ગત 1 મેના રોજ સાઉથ આફ્રિકાથી વડોદરા આવેલા 29 વર્ષના યુવકને કોરોનાના લક્ષણો જણાતા રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જેથી તેને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો અને 9 મેના રોજ તેનો…