What's Hot
- ફેટી લિવર તમારા સ્વસ્થ શરીરને બીમાર બનાવી શકે છે, આ ડિટોક્સ ડ્રિંક્સથી તમારી સંભાળ રાખો
- ઉત્તર પ્રદેશ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો ભવિષ્યમાં હવામાન કેવું રહેશે?
- આ શેર છે છોટા પેકેટ બડા ધમાકા, માત્ર 5 જ દિવસમાં 45 ટકાનો ઉછાળો, આજે રેકોર્ડ ઊંચાઈએ
- માત્ર પુત્રવધૂ જ નહીં પણ વીછીયાની આ ડિઝાઈન સાસુ પણ પહેરી શકે છે
- ચોમાસાની વિદાય પહેલા આ સ્થળોની અવશ્ય મુલાકાત લો, આ સફર કાયમ માટે યાદગાર બની જશે
- આ દિવસે આકાશમાં દેખાશે બે ચંદ્ર! ‘મિની મૂન’નું મહાભારત સાથે જોડાણ છે, ઈસરોએ ખુલાસો કર્યો છે
- વોટ્સએપ ગ્રુપ પર મેસેજ કોણે જોયો છે, આ એક બટન પર ટેપ કરવાથી તરત જ ખબર પડી જશે
- આ સરળ રેસિપીથી બનાવો સ્ટફ્ડ કેપ્સિકમ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
દેશમાં 5 દિવસમાં 15 લાખથી વધુ કેસ નોંધાયા કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. ભારતમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,06,064 નવા કેસ નોંધાયા છે અને 439 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,43,495 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 27,649 કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,49,355 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 20.75 ટકા છે. દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી…
આગામી સપ્તાહમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે તાપમાનનો પારો 7 ડીગ્રી સુધી ગગડવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આવશે પલટો હાલ રાજ્યમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે રાજ્યમાં ઠંડી તો પડે જ છે પરંતુ માવઠું પણ થઈ રહ્યું છે. ઠંડીની સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં રાજયમાં 3 વખત માવઠું થઈ ચૂક્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને આગામી સમગ્ર અઠવાડિયા દરમિયાન હાડ થીજવડી ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ જિલ્લાનાં નલિયામાં સૌથી ઓછું 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ડીસામાં 11, ગાંધીનગરમાં 12.7 , રાજકોટમાં 12.7 અને અમદાવાદમાં 13.6 ડિગ્રી…
મુંબઈનાં તારદેવમાં આવેલ 20 માળની બિલ્ડીંગમાં લાગી આગ 7નાં મોત તો 19 લોકોને બચાવવામાં આવ્યા આગની ઝપેટમાં આવેલા 2 લોકોની હાલત ગંભીર માયા નગરી મુંબઈમાં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની છે. મુંબઈનાં તાડદેવ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના કમલા સોસાયટી નામની રહેણાંક મકાનમાં બની હતી. હાલમાં ફાયર બ્રિગેડની 13 ગાડીઓ અને 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો પણ શરૂ છે. આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકો આગમાં દાઝ્યાં હોવાની માહિતી સામે આવી રહી છે. હાલમાં આ તમામને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યાં છે. હાલમાં રેસ્ક્યુ અભિયાન શરૂ છે. તાજેતરની…
ઓવૈસી ગઠબંધન કરી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા બાબુ સિંહ કુશવાહ અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધન કરાયું એક OBC અને બીજા દલિત એમ બે CM રહેશે: ઓવૈસી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશમાં બાબુ સિંહ કુશવાહ અને ભારત મુક્તિ મોરચા સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ ગઠબંધનનું નામ ભાગીદારી પરિવર્તન મોર્ચા રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો તેમનું ગઠબંધન સત્તામાં આવશે તો તેમની સરકારમાં બે મુખ્યમંત્રી હશે. તેમાંથી એક OBC અને બીજા દલિત હશે. આ સાથે ત્રણ નાયબ મુખ્યમંત્રી પણ હશે. જેમાંથી એક મુસ્લિમ હશે. આ ગઠબંધનના કન્વીનર બાબુ સિંહ કુશવાહા રહેશે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી એ એક મહત્વની જાહેરાત…
ખોટા સમાચાર ચલાવનારી વેબસાઇટ પર સ્ટ્રાઈક 2 વેબસાઇટ સહિત 35 યુટ્યૂબ ચેનલ બ્લોક કરાઇ તમામ ચેનલ અને સાઇટ પર ભારતવિરોધી પ્રોપગેન્ડા થતો ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. સૂચના અને પ્રસારણમંત્રી અનુરાગ ઠાકુરની ચેતવણીના બીજા દિવસે જ સરકારે 35 યુટ્યૂબ ચેનલ, 2 ટ્વિટર એકાઉન્ટ, 2 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, 2 વેબસાઈટ અને એક ફેસબુક એકાઉન્ટને બ્લોક કર્યાં છે. આ કાર્યવાહી IT નિયમો અંતર્ગત કરવામાં આવી છે. આ તમામ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહ્યાં હતાં. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલયના સેક્રેટરી અપૂર્વ ચંદ્રા અને જોઈન્ટ સેક્રેટરી વિક્રમ સહાયે શુક્રવારે આ મામલે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. વિક્રમ સહાયે કહ્યું હતું…
દનિયાનું સૌથી દુર્લભ બ્લડ ગ્રુપ છે Golden Blood દુર્લભ બ્લડ ગ્રુપ વિશ્વમાં માત્ર 47 લોકો પાસે છે આ લોહી દુનિયાનું સૌથી દુર્લભ બ્લડ ટાઈપ એટલે લોહીનો પ્રકાર કયો છે. ખબર છે તમને શા માટે એને વૈજ્ઞાનિકો ગોલ્ડન બ્લડ કરે છે. આ દુનિયામાં 50થી પણ ઓછા લોકોમાં જોવા મળે છે. જો એને બ્લડ ટાઈપના લોકોને લોહીની જરૂરત હોય તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે દુનિયામાં એવા લોકોની કમી છે કે એમને શોધવું મુશ્કેલ હોય છે. સમજીએ કે એને ગોલ્ડન બ્લડ શા માટે કહેવામાં આવે છે. ગોલ્ડન બ્લડ એ લોકોના શરીરમાં હોય છે, જેનું Rh ફેક્ટર null હોય છે.…
પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકોએ માસ્ક ન પહેરવું 18 વર્ષથી ઓછી ઉમરના કિશોરો અને બાળકો માટે ગાઈડલાઇન કોરોના સંબધિત દવાઓ આપવા માટે દિશાનિર્દેશ કરાયા કેન્દ્ર સરકારે કોરોના પ્રબંધન માટે 18 વર્ષથી ઓછી ઉમરના કિશોરો અને બાળકો માટે સંશોધન વિસ્તૃત દિશાનિર્દેશ જારી કર્યા છે. સરકારે કહ્યું કે પાંચ વર્ષ અથવા એનાથી ઓછી ઉમરના બાળકોએ માસ્ક લગાવવું નહિ જોઈએ. એ ઉપરાંત 18 વર્ષથી ઓછી ઉમરના બાળકોએ એન્ટીવાયરસ અથવા મોનોક્લોન એન્ટિબોડી નહિ આપવી જોઈએ. સ્વસ્થ્ય મંત્રાલયે સંશોધિત ગાઈડઈન્સમાં કહ્યું કે 6થી 11 વર્ષના બાળકો પોતાના વાલીઓ દેખરેખમાં જરૂરત મુજબ માસ્ક પહેરી શકે છે. જો કે એને સુરક્ષિત અને ઉચિત રીતે પહેરવું જોઈએ. ત્યાં…
રાજ્યના આ ગામોમાં નહીં રહે દારૂબંધી પ્રવાસન સ્થળ તરીકે કાર્યરત 5 ગામોનો સમાવેશ ઉતર ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના એક ગામનો સમાવેશ ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂ બાંધી છે. ગુજરાતમાં દારૂ વેચવા કે પીવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય અને લોકો આસાનીથી કાયદેસરનો શરાબ પી શકતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રમાં એક એવું ગામ છે કે જે હવે દારૂબંધી મુક્ત થશે. પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગમાં લેવાનારા ચાર ગામમાં દારૂબંધી લાગુ નહીં પડે, એટલે કે આ ગ્રામ્ય વિસ્તારમાં દારૂ પી શકાશે. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશને અડીને આવેલા ચાર ગામો અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે…
સુરતમાં લક્ઝરી બસમાં લાગી આગ બસમાં સવાર મહિલા જીવતી સળગી ગઈ શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી ગુજરાતની ડાયમંડ નગરી એવા સુરત શહેરમાં કપોદ્રા વિસ્તારમાં ખાનગી બસમાં ભીષણ આગ લાગી છે. સુરતના હિરા બાગ સર્કલથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે રાતે અચાનક આગ લાગી હતી. જેના કારણે થોડી જ વારમાં આખી બસ ભડભડ સળગી ઊઠી હતી. આ વિકરાળ આગમાં એક મહિલાનું મૃત્યું નીપજ્યું છે. આ દૂર્ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પ્રાથમિક અનુમાન પ્રમાણે, ખાનગી બસમાં શોર્ટ સર્કિટને કારણે એસીમાં બ્લાસ્ટ થવાથી આ વિકરાળ આગ ભભૂકી હતી. સુરતના…
તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર મુકાયો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો કોરોનાના વધતા કેસ વચ્ચે લેવાયો નિર્ણય દેશમાં જીવલેણ કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે કોમર્શિયલ પેસેન્જર સર્વિસ નું સસ્પેન્શન 28 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરવાની અસર કાર્ગો અને DGCA માન્ય ફ્લાઈટ્સ પર પડશે નહીં. આ અગાઉ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ 31 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. કોવિડ-19 મહામારીને કારણે 23 માર્ચ 2020થી ભારતમાં આવતી જતી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ છે. જો કે, છેલ્લા જુલાઈ 2020 થી, લગભગ…