Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

કોરોના સહાયને લઈ હાઇકોર્ટ સરકાર પર ખફા સરકારી આંક અને સહાયના આંક વિસંગતતા કોરોના મૃકતો 10 હજાર જ્યારે સહાય માટે 1 લાખ અરજી વૈશ્વિક મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. જેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોનાથી મોતનો સરકારી આંક 10 હજાર બતાવ્યો છે. જોકે, વિરોધ પક્ષોએ આ આંકડાઓને ખોટા ગણાવીને કહ્યું કે ગુજરાતમાં કોરોનાને કારણે 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકાર અને વિપક્ષની પરસ્પર આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે રાજ્યમાં લગભગ 1 લાખ પરિવારોએ વળતરનો દાવો કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે તેમના સંબંધીનો કોરોનાને કારણે જીવ ગયો છે. સરકાર આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ એક મોટો…

Read More

સપનામાં સફેદ વસ્તુ આવવાથી થાય છે ફાયદો બેસુમાર ધન-દોલતના માલિક બની જશો ઊંઘમાં સંપનાની પાછળ એક જૂનું વિજ્ઞાન ઊંઘમાં સંપનાની પાછળ એક જૂનું વિજ્ઞાન છે તો એમાં આપણો જ્યોતિષ મતલબ પણ છે. આ સપના ભવિષ્યમાં થવા વાળી સારી ખરાબ ઘટનાઓના સંકેત આપે છે. સપના આને એના મતલબોની વ્યાખ્યા કરતા આખું સ્વપ્ન શાસ્ત્ર લખાયેલ છે. આજે અમે એવા શુભ સપનાઓ અંગે જણાવીએ છે જેમાં દેખાવા વાળી વસ્તુ સફેદ રંગનો હોય છે અને કિસ્મત ચમકાવી દે છે. સપનામાં આ સફેદ વસ્તુ દેખાવી અપાર ધન દોલતના માલિક બનાવી દે છે. સપનામાં સફેદ સિંહ કે વાઘ જોવો ખૂબ જ શુભ હોય છે. આવું થવાથી…

Read More

વોટ્સએપ ચેટ લીક થતાં બચાવવાની ટ્રીક આ ટ્રીક અને સુરક્ષિત રાખો તમારું એકાઉન્ટ શંકાસ્પદ અને અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો જેમ–જેમ વોટ્સએપના યૂઝર્સ અને ફીચર્સ વધી રહ્યા છે તેમ-તેમ આ પ્લેટફોર્મ પર ફ્રોડ અને સાયબર એટેકના કિસ્સા પણ વધી રહ્યા છે. આ સિવાય તમારા સર્કલના લોકો તમારા વોટ્સએપથી ઘણી મહત્વની ચેટ કે ડોક્યુમેન્ટ્સ પણ ચોરી શકે છે. આવી સ્થિતિમાં, તમારે સજાગ રહેવાની સાથે વોટ્સએપને સુરક્ષિત રાખવાની જરૂર છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે તમારા વોટ્સએપને હેક થવાથી બચાવી શકો છો. તમારા વોટ્સએપને સુરક્ષિત રાખવા માટેનું પહેલું પગલું એ છે કે તેના સ્ક્રીનને લોક ચાલુ રાખવું. આ…

Read More

બલેનો ફેસલિફ્ટનું બુકિંગ શરૂ એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ છે બલેનો કાર ₹11 હજારમાં બુક કરી શકાશે મારુતિ સુઝુકીની મોસ્ટ અવેટેડ કાર મારુતિ સુઝુકી બલેનોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. ઇન્ડિયન માર્કેટમાં ખૂબ જ પોપ્યુલારિટી અને સક્સેસ મેળવ્યા બાદ કંપની માર્કેટમાં નવી અપડેટેડ બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લાવી રહી છે. આ કારને 11 હજાર રૂપિયામાં નેક્સા આઉટલેટ્સ અને વેબસાઈટ પરથી બુક કરી શકાશે. કંપનીએ હજી સુધી આ કારની કિંમતનો ખુલાસો કર્યો નથી. મારુતિ સુઝુકી આ મહિને તેની સૌથી વધુ વેચાતી પ્રીમિયમ હેચબેક બલેનોનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કરવા જઈ રહી છે. આ કારની ટીઝર ઈમેજ ઈન્ટરનેટ પર લીક થઈ છે, જેમાં લખ્યું છે કે,…

Read More

આઈપીએલમાં અમદાવાદની ટીમનું નામકરણ ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે ટીમ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કરાયો IPL 2022માં લખનઉ પછી અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમનું નામ જાહેર કરી દીધું છે. આ ફ્રેન્ચાઈઝી ‘અમદાવાદ ટાઈટન્સ’ તરીકે ઓળખાશે. અમદાવાદે પોતાની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પસંદ કર્યો છે, જ્યારે શુભમન ગિલ અને રાશિદ ખાન પણ ટીમના ખાસ ખેલાડી રહેશે. વળી, કોચિંગ સ્ટાફની વાત કરીએ તો આશિષ નેહરા અને ગેરી કસ્ટર્નને પણ આ ટીમમાં સામેલ કરાયા છે. IPL 2022ની હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવા જઈ રહી છે. આ વખતે આઈપીએલના ઈતિહાસની સૌથી મોટી હરાજી થવા જઈ રહી છે, જેમાં 10 ટીમ ભાગ…

Read More

ડેરા સચ્ચા સૌદાના ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ પંજાબમાં વોટિંગના 13 દિવસ પહેલા મળ્યા પેરોલ દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપે છે ગુરમીત રામ રહીમ દુષ્કર્મ અને હત્યા કેસમાં સજા કાપનાર ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામરહીમની 21 દિવસની પેરોલ મંજૂર કરવામાં આવી છે. ગુરમીત હરિયાણાની રોહતક જેલમાં બંધ છે. તેને પંજાબમાં ચૂંટણીના 13 દિવસ પહેલાં જ પેરોલ આપવામાં આવી છે. પંજાબના 23 જિલ્લામાં 300 મોટા ડેરા છે, જેની સીધી અસર એ વિસ્તારની રાજનીતિ પર છે. આ ડેરા પંજાબના માઝા, માલવા અને દોઆબા વિસ્તારમાં આવેલા છે. ડેરા સચ્ચા સૌદા હરિયાણાના સિરસા જિલ્લામાં આવેલું છે. એની પંજાબની માલવા વિસ્તારની અંદાજે…

Read More

ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર અમિત શાહનું નિવેદન ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ હતો: અમિત શાહ ઓવૈસીને વિનંતી કરે છે કે સરકારે આપેલ સુરક્ષા સ્વીકારે:અમિત શાહ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર થયેલા હુમલા પર ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં મંત્રાલય વતી નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ન તો ઓવૈસીનો હાપુડમાં કોઈ કાર્યક્રમ હતો અને ન તો પ્રશાસનને તે માર્ગ પરથી તેમના પ્રસ્થાન વિશે જાણ કરવામાં આવી હતી. અંતમાં અમિત શાહે કહ્યું કે તેઓ ઓવૈસીને વિનંતી કરે છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા લેવામાં આવે. ઓવૈસી પરના હુમલા પર બોલતા શાહે કહ્યું કે, 3 ફેબ્રુઆરી, 2022ના રોજ સાંજે 5.30 વાગ્યે…

Read More

રાજકોટ પોલીસના તોડની એક ડઝનથી વધુ ફરિયાદો ખુલશે ધારાસભ્ય ગોવિંદ પટેલ ગૃહમંત્રી સામે ફરિયાદો રજૂ કરશે પોલીસના અન્ય કૌભાંડો પુરાવા સાથે રજૂ કરી ધારાસભ્ય ધડાકા કરશે કહેવત છે ને કે, રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે પ્રજાની સ્થિતિ ખરાબ થાય છે. કઈક આવીજ સ્થિતિ હાલ રાજકોટમાં નિર્માણ થવા પામી છે. રાજકોટના ભાજપી ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશ્નરે પૈસાનો તોડ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગોવિદ પટેલ દ્વારા આક્ષેપ કરતાની સાથેજ ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. રાજકોટ પોલીસ કમિશનરે આરોપી પાસેથી રકમ વસૂલાય તેમાંથી 30 ટકા કમિશન માગ્યું હતું અને ક્રાઇમ બ્રાંચના પીએસઆઇએ રૂ.75 લાખ વસૂલ્યાનો આક્ષેપ કરી રાજ્યભરમાં…

Read More

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ રાજીનામું લેવાયું હેડ ક્લાર્ક પેપર લીક બાદ રાજીનામાની માંગ કરાઇ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી  મંડળની પરિક્ષાના પેપર લીક બાદથી વિવાદમાં આવેલ અસિત વોરાએ રાજીનામું આપ્યું છે.  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ GSSSBના ચેરમેન અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે આ પેપરકાંડના બે મહિના બાદ અસિત વોરાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આઈ.કે જાડેજા અને બળવંત સિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે. અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની…

Read More

ભારત રત્ન લતાદીદીની દુનિયાથી વિદાય PM મોદી લતા મંગેશકરની અંતિમ વિદાયમાં જોડાયા 29 દિવસ સુધી લતાદીદી કોરોના અને ન્યૂમોનિયા સામે લડ્યા 6 ફેબ્રુઆરી, 2022ને રવિવારે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર કોકિલા ભારત રત્ન લતા મંગેશકરે અંતિમ શ્વાસ લીધા. ત્યારબાદ તેમનો પાર્થિવ દેહ લગભગ 1-10 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર સહિતની હસ્તીઓએ લતાદીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને લતા મંગેશકરના પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મુકાયો છે. થોડી વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લતાદીદીની અંત્યેષ્ટિમાં હાજરી આપવા પહોંચી…

Read More