Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

એપલ એ બનાવી સ્માર્ટ વોટર બૉટલ જાણો તેમાં શું શું ફીચર જાણો કેવી રીતે કરે છે તે કામ Apple પોતાના ઓનલાઇન અને યુએસમાં રિટેલ સ્ટોરમાં સ્માર્ટ પાણીની બોટલ વેચી રહ્યું છે. ટેક દિગ્ગજ HidrateSpark નામથી બે નવી સ્માર્ટ પાણીની બોટલ વેચી રહ્યું છે જે યુઝર્સને પોતાના પાણીના સેવનને Apple હેલ્થ એપ સાથે સિંક કરવાની મંજૂરી આપે છે. બંને બોટલ્સ સ્ટ્રો લીડ સાથે નીચે એક LED પક સાથે આવે છે જે ખરીદદારોને દિવસભર પાણી પીવા માટે યાદ અપાવવા માટે લાઈટ સળગાવે છે. પકનો રંગ અને પેટર્ન યુઝર્સની પસંદ અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે. કેવી રીતે કરે છે કામ? બોટલ્સ બ્લૂટૂથ દ્વારા…

Read More

ગદર 2નું 80% શુટિંગ સમાપ્ત સની દેઓલે શેર કરી પોસ્ટ વર્ષ અંત સુધીમાં ફિલ્મ થશે રિલીઝ સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2નું શુટિંગ 80% સમાપ્ત થઇ ચુક્યું છે. ફિલ્મ વર્ષનાં અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે.વર્ષ 2001માં આવેલી સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર’ને કોણ ભૂલી શકે? સની દેઓલની એક્ટિંગ અને દમદાર ડાયલોગ્સ ડિલીવરીએ લોકોને તેમના ફેન બનાવ્યા હતા. ફિલ્મ અને અભિનેતાનાં ફેંસ માટે એક સારા સમાચાર છે. આ ફિલ્મનો બીજો પાર્ટ જલ્દી જ રિલીઝ થવા જઈ રહ્યો છે. તેનું શુટિંગ ગયા ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં ચાલી રહ્યું છે, જે હવે પૂરું થઇ ગયું…

Read More

દેશના કરોડો ખેડૂતો માટે ખુશખબર ખાતર પર સબ્સિડી વધારશે સરકાર ખેડૂતો પર બોઝ આપવા નથી માગતી સરકાર દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબસીડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે અને ખાતરનું રો મટીરિયલ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે. હાલમાં જ ખાતર કંપનીઓએ ડીએપીના ભાવમાં 150 રૂપિયાનો વધારો કર્યો હતો. યુરિયા અને બીજા ખાતરના ભાવમાં વધારો થવાનું અનુમાન છે. ત્યારે આવા સમયે પહેલાથી ડીઝલના વધતા ભાવથી પરેશાન ખેડૂતો પર સરકાર ખાતરનો બોઝ નાખવા નથી માગતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેબિનેટની બેઠકમાં ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવા પર મંજૂરી મળી ગઈ છે. સરકાર  સબસીડી નહીં વધારે…

Read More

હિંમતનગરમાં રામનવમી હિંસા બાદ ફરીવળ્યું દાદાનું બુલડોઝર ડિમોલેશનને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાયો રામનવમીના દિવસે હિંસા બનેલ વિસ્તારમાં ડિમોલેશન કરાયું સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગરમાં રામનવમી હિંસા બાદ ફરીવળ્યું દાદાનું બુલડોઝર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત. સાબરકાંઠા જિલ્લાના  હિંમતનગર માં રામનવમી માં આમને સામને પથ્થર મારો થયેલ હતો, ત્યાર પછી સમગ્ર શહેર માં હિંસા ભડકી ઉઠી હતી જેમાં ત્રણ દરગાહ એક મસ્જિદ, હોન્ડા અને હુન્ડાઈ ના બે શોરૂમ તેમજ અન્ય પાંચ થી સાત દુકાનો લૂંટી ને આગને હવાલે કરી દેવાઈ હતી, જેમાં લઘુમતી લોકોનું કરોડો રૂપિયા માં નુકસાન થયેલ છે, જેની ભરપાઈ થઇ શકે તેમ નથી, ત્યાર બાદ એક ન્યૂઝ પેપર માં…

Read More

વીટોના ​​ઉપયોગના મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી આદેશ  રાજકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વીટોનો ઉપયોગ કર્યો છે નવા સ્થાયીને આપવામાં આવશે અધિકાર વીટોના ​​ઉપયોગના મામલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી આદેશ પરના ઠરાવમાં ભારતે વિશ્વ સમક્ષ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ રાજદૂત આર રવિન્દ્રએ કહ્યું કે વીટોનો ઉપયોગ કરવાનો વિશેષાધિકાર માત્ર પાંચ સભ્ય દેશોને આપવામાં આવ્યો છે. યુએનજીએ તેના વિશે ઘણું કરી શકે તેમ નથી, કારણ કે અસરકારક રીતે P-5 પાસે વીટો છે. તમામ 5 સ્થાયી સભ્યોએ છેલ્લા 75 વર્ષમાં તેમના સંબંધિત રાજકીય ઉદ્દેશ્યો સિદ્ધ કરવા માટે વીટોનો ઉપયોગ કર્યો છે.એમણે કહ્યું, “અમારા આફ્રિકન ભાઈઓ…

Read More

ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા શિકાર માટે ગાયોનો કર્યો પીછો સિંહોના આટાફેરા કેમેરામાં થયા કેદ ભારતમાં ફક્ત ગીરના જંગલમાં સિહ વસવાટ કરે છે. ત્યારે સિંહને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ગીરના જંગલમાં આવતા હોય છે જુનાગઢ જિલ્લામાં અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જેના વિડીયો પણ અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારે વધુ એક વખત અમરેલી જિલ્લાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે. અમરેલી જિલ્લાના ધારીના મોરજર ગામમાં રાત્રીના સમયે 2 સિંહો ગામમાં ઘુસ્યા હતા. મોરજરના બસ સ્ટેન્ડ નજીક બે…

Read More

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રીએ ચેતવણી આપી કોરોનાની ચોથી લહેર આવશે લોકોને સાવધાની રાખવા આપી સૂચના કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી કે. સુધાકરે મંગળવારે કહ્યું કે, નિષ્ણાંતોનું અનુમાન છે કે, કોવિડ 19ની ચોથી લહેર  જૂન બાદ ચરણ પર પહોંચી શકે છે અને તેની અસર ઓક્ટોબર સુધી રહેશે. તેમણે રસીકરણ અને માસ્ક પહેરવા જેવી સાવધાની રાખવા અને વાયરસ સાથે જીવવાની આદત પાડવા પર ભાર આપ્યું છે. મંત્રીએ કહ્યું કે, વાયરસના પ્રચલિત રૂપોમાં ઓમિક્રોનની ઉપ વંશાવલી કહેવાય છે અને તે…

Read More

 બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી રિયાન પરાગે છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા  રાજસ્થાન રોયલ્સનો યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના શાનદાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલ વચ્ચે IPL મેચ દરમિયાન ઉગ્ર દલીલ થઈ હતી જ્યારે રિયાન પરાગે પટેલની છેલ્લી ઓવરમાં 18 રન બનાવ્યા હતા. રિયાન પરાગે શાનદાર બેટિંગ કરી અને 31 બોલમાં અણનમ 56 રન બનાવ્યા. તેણે ઇનિંગની છેલ્લી ઓવરમાં હર્ષલ પટેલ સામે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. બાદમાં રાજસ્થાન 29 રનથી મેચ હારી ગયું હતું. અંતિમ ઓવરમાં રિયાન પરાગે પટેલને ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ફટકારતાં જ બંને ખેલાડીઓ વચ્ચે…

Read More

 ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે કેબિનેટ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા થશે રાજ્યના પાણીની સ્થિતી અંગે સમીક્ષા કરાશે આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા તેમજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના આયોજન મુદ્દે ચર્ચા કરાશે આ સાથે  મહેસૂલ વિભાગના કાયદામાં સુધારો, વિવિધ વિભાગના બજેટની નાણાંકીય મંજૂરીની બાબત અને ચણાની ખરીદી બાબતે ચર્ચા થઈ શકે છે.  રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા મહત્વનું છે કે, રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ ડેમ તળિયા ઝાટક થયા છે. પરિણામે રાજ્યમાં આગામી સમયમાં પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. રાજ્યના જળાશયોમાં માત્ર 53 ટકા જ પાણીનો જથ્થો નોંધાયો છે. જ્યારે ગુજરાતની…

Read More

લાઇવ વાયરના સંપર્કમાં આવી જતાં 2 બાળક સહિત 11નાં મોત, 15 ઘાયલ તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના  લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ રથ ક્ષતિગ્રસ્ત થયો તમિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેમાં બે બાળકો સહિત 11 લોકોના મૃત્યુ થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી હતી. રાજ્યના CM એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ…

Read More