- હોટેલ માં ચેકઆઉટ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નુકસાનથી બચી શકશો
- તહેવારોની સિઝનમાં આ મેક્સી ડ્રેસને દુપટ્ટા સાથે સ્ટાઈલ કરો,દેખાશો એકદમ અલગ
- રોંગ સાઈડ પર વાહન ચલાવવા થશે દંડ, રકમ જાણ્યા પછી તમે ક્યારેય નિયમો નહીં તોડો
- Airtel એ નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો, 26 રૂપિયામાં મળશે આટલી સુવિધાઓ
- બ્લડ પ્રેશર અચાનક વધવા લાગે તો કરો આ યોગ, સરળતાથી કંટ્રોલ થઈ જશે.
- નાસ્તામાં ઝટપટ તૈયાર કરો ટેસ્ટી ઓટ્સ અપ્પમ, અહીં જુઓ સરળ રેસિપી
- સુપ્રીમ કોર્ટના હજારો નિર્ણયોનું હિન્દીમાં ભાષાંતર કરાયું, AI ની મહત્વ પૂર્ણ ભૂમિકા
- ગુજરાતમાં આ વર્ષે તાવના દર્દીઓ વધ્યા, આઠ મહિનામાં 39 હજાર દર્દીઓ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ચાલુ વર્ષે સ્ટેશનરીની વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો થયો છે ચાઈનાથી જે વસ્તુઓ આવતી હતી તેનું પ્રમાણ પણ ઘટ્યું છે. સ્ટેશનરી બજારમાં હાલનાં સમયમાં 20થી 25% જેટલો વધારો છે રશિયા અને યુક્રેન(Russia-Ukraine) વચ્ચે છેલ્લા બે માસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસરો વિશ્વભરનાં દેશો ઉપર પડી રહી છે. અને મેટલ સહિતની વસ્તુઓના ભાવમાં મોટો વધારો નોંધાયો છે.ત્યારે આ ભાવ વધારાની અસર સ્ટેશનરી ઉપર પણ પડી છે. અને ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે સ્ટેશનરીની વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. જેને લઈને વાલીઓ ઉપર ખર્ચનો બોજો વધ્યોછે. નેમીનાથ એન્ટરપ્રાઇઝનાં નામથી વર્ષોથી સ્ટેશનરીનો વેપાર કરતા પ્રતીક સંઘાણીએ જણાવ્યું…
પાટણમાં ઉજવાશે ગુજરાત સ્થાપના દિન પાટણ શહેરને શણગારાયું નવોઢાની જેમ સજાવાયું શહેર 1 મે એટ્લે ગુજરાતનો સ્થાપના દિવસ, સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આગામી 1મે ના રોજ મુખ્યમંત્રી અને રાજ્યપાલની ઉપસ્થિતિ માં ગુજરાતનો રાજ્ય કક્ષાનો 62 મો સ્થાપના દિવસ પાટણ શહેરમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે પાટણ શહેર આજે રંગબેરંગી લાઇટિંગોથી ઝળહળી ઉઠ્યું છે પાટણમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના મુખ્ય રસ્તાઓ પર રોશની કરવામાં આવી છે. પાટણની સરકારી કચેરીઓ રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવી છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ઊજવણી થવા જઈ રહી છે જેને…
અથડામણમાં પ્રવાસી મજૂરો પર હુમલામાં સામેલ બે આતંકવાદીઓ ઠાર બન્ને આતંકીઓ અલ બદ્રે સંગઠનના હતા જમ્મુ-કશ્મીરમાં સુરક્ષાદળોને મળી વધુ એક સફળતા જમ્મુ-કશ્મીરમાં છેલ્લાં કેટલાંય દિવસથી સતત સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણની ઘટના સામે આવતી રહે છે. ત્યારે તાજેતરમાં જ સુરક્ષા દળોને પુલવામા એન્કાઉન્ટરમાં કુલ બે આતંકીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. બુધવારે મિત્રીગામ વિસ્તારમાં અથડામણ શરૂ થયું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસનું કહેવું છે કે, અથડામણના પહેલાં દિવસે એક આતંકવાદી માર્યો ગયો હતો જ્યારે ગુરુવારે બીજો આતંકવાદી માર્યો ગયો હતો. આ બંને આતંકવાદીઓ માર્ચ-એપ્રિલ 2022માં પરપ્રાંતિય મજૂરો પર થયેલા હુમલા માટે જવાબદાર હતા. તેઓએ કહ્યું કે, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો…
ધમકીભર્યો પત્ર મળતા પંજાબમાં મચ્યો હડકંપ CM સહિત અનેક રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પોલીસ છાવણીમાં ફેરવાયું પંજાબથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બુધવારના રોજ પંજાબના મુખ્યમંત્રી, રાજ્યપાલ, ઉચ્ચ અધિકારીઓ તેમજ રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો એક પત્ર મળ્યો છે. સુલતાનપુર લોધી રેલવે સ્ટેશન પર ટપાલના આધારે આ ચિઠ્ઠી પહોંચી છે. આ ચિઠ્ઠી હિન્દી અને ઉર્દુમાં લખવામાં આવી છે. જો કે, ધમકીભરેલા આ પત્ર બાદ પોલીસ એક્શનમાં આવી ગઇ છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી જાણકારી અનુસાર, જ્યારે જમ્મુ તવી ટ્રેન આવી ત્યારે કોઇ અજાણી વ્યક્તિ દ્વારા…
ભેટ આપવી એ ભારતીય પરંપરા રહીછે. ભગવાન ગણેશનો ફોટો કે પેન્ટિંગ ભેટમાં આપવા લકી હોય છે ચાંદીથી બનેલી ભેટ આપવી લક્ષ્મીજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સમયે સમયે ભેટ આપવી એ ભારતીય પરંપરા રહીછે. જન્મ દિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ. લોકો આવા અવસરોને ખાસ યાદગાર બનાવતા હોય છે. આ ગીફ્ટ ફક્ત આપનારને ખુશી આપે છે. તો સાથે સાથે બીજાને સકારાત્મક અથવા તો નકારાત્મક ઉર્જા ભરી આપે છે. વાસ્તુ શાસ્ત્રમાં ભેટ આપવાને લઈને પણ કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો બાબત બતાવાઈ છે. એ મુજબ કેટલીક ગીફ્ટ ખૂબજ લકી હોય છે. એમાં ગીફ્ટ આપવી ને લેવી બંને ખૂબજ શુભ ગણાય છે. આ ભેટ જીવનમાં સૌભાગ્ય…
કોવિડ-19ની સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓની પ્રસંસા કરતાં વડાપ્રધાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં કોવિડ-19 ની સ્થિતી સંદર્ભે રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. વડાપ્રધાનશ્રીએ કોરોના કાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને જે કાર્ય કર્યુ તેણે કોરોના સામેની લડાઇમાં મુખ્ય ભૂમિકા નિભાવી છે તેવો મત દર્શાવ્યો હતો તેમણે આ સંદર્ભમાં બધા જ મુખ્યમંત્રીશ્રીઓ, રાજ્ય સરકારો અને અધિકારીઓ તથા કોરોના વોરિયર્સની પ્રસંશા કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત આ વિડીયો કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રી શ્રી રૂષિકેશ પટેલ,…
પ્રશાંત કિશોરને લઈ નરેશ પટેલે આપ્યું નિવેદન પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે: નરેશ પટેલ આ મહિનાના અંત સુધીમાં હું ફાઇનલ તારીખ જણાવીશ: નરેશ પટેલ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી પર ખૂબ રાજકારણ થઈ રહ્યું છે ત્યારે આજે કાગવડમાં ખોડલધામના તમામ ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલે બેઠક કરી હતી અને તે બાદ મોટું નિવેદન આપ્યું છે. ગઈકાલે જ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવાની ઓફર ઠુકરાવી દીધી છે ત્યારે નરેશ પટેલ પણ હવે કોંગ્રેસમાં નહીં જાય તેવી ચર્ચાઓ ખૂબ તેજ હતી. જોકે આજે નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે પ્રશાંત કિશોરના નિર્ણયની અસર તેમની પર નહીં પડે.…
યોગથી શરીરને મળે છે ઉર્જા નિયમિત યોગ કરીને રહો સ્વસ્થ્ય જાણો ઉત્તાનપાદાસનના ફાયદા યોગ એક એવી વસ્તુ છે જે આપણા શરીરને ઉર્જા આપે છે. ઘણા યોગાચાર્યો કહે છે કે નિયમિત રીતે યોગ કરવાથી મન અને આત્મની શાંતિની અનુભૂતિ થાય છે. યોગ શરીરને મજબૂત, સુડોળ અને લચીલુ બનાવવામાં મદદ કરે છે. તેનાથી શરીરને અનેક બીમારીઓ સામે લડવાની ઈમ્યુનિટી પાવર મળે છે. નિયમિત રીતે યોગ કરવાથી શરીર અને મન ફિટ રહે છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉત્તનપાદાસનના ફાયદા. ઉત્તાનપાદાસનમાં ઉત્તાનનો અર્થ થાય છે ઉપર ઉઠવુ અને પાદાનો અર્થ થાય છે ‘પગ’. આ આસનમાં પગને ઉપરની તરફ લઈ જાઓ. આ…
ટૂ-વ્હીલર્સ રાઈડર્સ માટે મહત્વનું વીમા પોલિસી ખરીદતી વખતે રાખો આ ધ્યાન આટલું કરશો તો ફાયદામાં રહેશો આજકાલ ટુ વ્હીલર દરેક વય જૂથના લોકોનું પ્રિય વાહન બની ગયું છે. આવી સ્થિતિમાં ઈન્શ્યોરન્સ ન કરાવવું જોખમ ભર્યું બની શકે છે. ટુ-વ્હીલર રાઈડર્સ માટે વીમો માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ અકસ્માતના સમયે પણ જરૂરી છે. ભારતના રસ્તાઓની વાત કરીએ તો રસ્તાઓ પર વધુ વાહનોની હાજરીને કારણે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. ટુ વ્હીલર વાહનો લાખો લોકોની પસંદગી બની ગયા છે. આનાથી સમય અને પૈસા બંનેની બચત થાય છે. જો કે ટુ વ્હીલર માટે વીમો હોવો જરૂરી બની જાય છે. આ સાથે…
ખીલને મટાડવા એલોવેરા ફાયદાકારક પીઠના ખીલથી છુટકારો મેળવવા માટેની ટીપ્સ અપનાવી શકો છો ઘરેલું ઉપાય હવામાન, ખરાબ ખાનપાન અને ખરાબ જીવનશૈલીના કારણે લોકોને માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ ત્વચાની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. ત્વચાની આ સમસ્યાઓમાં ટેનિંગ, પિમ્પલ્સ, ફોલ્લીઓ અને ખીલનો સમાવેશ થાય છે. ચહેરા પર ખીલ ઉપરાંત ઘણા લોકોને પીઠ પર ખીલ થવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. પીઠ પર હોવાથી તેમની સારવાર કરવી થોડી મુશ્કેલ છે અને તેમને અવગણવાથી પણ ખંજવાળ થઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલું ઉપાય અજમાવી શકો છોતમને ફુદીનાના પાન અને એલોવેરા જેલ વડે પીઠના ખીલથી છુટકારો મેળવવાની ટિપ્સ…