What's Hot
- શું આ 30 વર્ષ જૂની ટીવી સિરિયલ OTT પર રિલીઝ થશે? દિગ્દર્શકે પોતાના દિલની ઈચ્છા વ્યક્ત કરી
- સરકાર ખેડૂતો માટે 1000 કરોડ રૂપિયાનું લોન ગેરંટી ફંડ બનાવશે, જાણો તેનાથી શું ફાયદો થશે
- TATA PUNCH વધુ અપગ્રેડ થયું, કંપનીએ આ નવા ફીચર્સ બજારમાં રજૂ કર્યા, જાણો કિંમત
- Xiaomi એ લગાવ્યો મોટો કૂદકો, આ મામલે Appleને પાછળ છોડી દીધું
- ચપ્પલે કરી દીધી મોટી મોકાણ, સામાન્ય વાત પર દર્દીના પરિવારજનોએ ડોક્ટરની કરી દીધી ધુલાઈ
- વર્લ્ડકપની ફાઈનલ મેચનો હીરો આટલા દિવસો પછી ODIના મેદાન પર
- ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ને લઈને સરકાર સામે આ મોટા પડકારો છે, કેબિનેટમાંથી પસાર થવું એટલું જ પૂરતું નથી
- કાકડી-બૂંદીનું રાયતુ પણ થઇ જશે ફેલ, જયારે ખાસો બટાકાથી બનાવેલું મસાલેદાર રાયતુ ઘરમાં બધા કરશે વખાણ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
લોકોમાં ફરવા માટે સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સનો મોહ ધરતી પરના સ્વર્ગ કાશ્મીરના નાનકડા ગામ હેમિસ પર્યટન માટેનું પોપ્યુલર સ્થળ ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધીના સૌથી પોપ્યુલર ફરવા લાયક સ્થળો જો તમે પણ એવું કોઈ સ્થળ શોધતા હો જ્યાં ભીડ ઓછી હોય અને જોવા માટે કંઈક નવું હોય તો અહીં તમને ભારતના એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં ખૂબ ઓછી સંખ્યામાં લોકો ફરવા માટે જાય છે. ગુજરાતથી લઈ કાશ્મીર અને કેરળ સુધી એવા કેટલાય સ્થળો છે જ્યાં જતાં પ્રવાસીઓની સંખ્યા ઓછી છે.મોટાભાગના લોકો ફરવા જવાનું હોય તો સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન્સને પસંદ કરે છે પછી ભલે એ સ્થળો આપણાં દેશના હોય કે વિદેશના.…
રાહુલ ગાંધીનો રદ્દ કરાયેલ કાર્યક્ર્મ ફરી યોજાશે ૧૦ મી મે ના રોજ આવશે રાહુલ ગાંધી આવશે દાહોદ કોલેજ મેદાન ખાતે વિશાલ જનમેદનીને સંબોધશે દાહોદમાં પહેલી મે નો રાહુલ ગાંધીનો મોકૂફ કાર્યક્રમ ફરી નક્કી કરાયો ૧૦ મી મે ના રોજ આવશે રાહુલ ગાંધી દાહોદમાં, આજે દાહોદના એપીએમસી કોન્ફ્રન્સ હોલમાં કોંગ્રેસ પ્રદેશના નેતાઓનું નેતૃત્વ દાહોદમાં આવીને દાહોદના નેતાઓ જોડે ચર્ચા કરી બેઠક યોજવામાં આવી હતી જેમાં દાહોદમાં આગામી 10 મી મે ના રોજ દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધશે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદના કોલેજ મેદાન ખાતે વિશાલ જનમેદનીને સંબોધશે તેવું આયોજન કરવા માટે દાહોદના ધારાસભ્યોથી લઈને કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ…
એસી અને ડીસી ફાસ્ટ પ્રકારના ચાર્જીગ માટેના 12 ચાર્જીંગ પોઈન્ટની જોગવાઈ ઈલેક્ટ્રિક વાહનો 29 સ્ટેશનોમાં કુલ 200 ઈવી ચાર્જીંગ પોઈન્ટસ ટાયરેક્સ ચાર્જરએ એક્સક્લુઝિવ મોબાઈલ એપ્પ માટે જીઓઈસી ઓટોટેક સાથે ભાગીદારી ઈલેક્ટ્રિક વાહનો (EV) માટેના ચાર્જરનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની ટાયરેક્સ ચાર્જરએ કેરાલા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડ (KSEBL) સાથે રાજયમાં ઈવી ચાર્જીંગ સ્ટેશનની ચેઈન સ્થાપવા માટે ભાગીદારી કરી છે. ટાયરેક્સ ચાર્જર કેરાલા સ્ટેટ ઈલેક્ટ્રિસિટી બોર્ડ લિમિટેડ સાથેની ભાગીદારીમાં કેરાલામાં 29 ચાર્જીંગ સ્ટેશન્સ સ્થાપ્યા છે. દરેક સ્ટેશન એસી અને ડીસી ફાસ્ટ જેવા બંને પ્રકારના ચાર્જીગ માટેના 12 ચાર્જીંગ પોઈન્ટની જોગવાઈ છે.ટાયરેક્સ ચાર્જરના સીઈઓ અને સહસ્થાપક અર્થ પટેલે જણાવ્યું હતું કે “અમે કેરાલામાં…
એલઆઈસીના શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 રૂપિયા પહોંચ્યું. એલઆઈસી એ આઈપીઓ માટે 902-949 રૂપિયા પ્રાઈસ બેન્ડ એલઆઈસી પોતાના આઈપીઓ દ્વારા 21,000 કરોડ એકત્રિત દેશની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના આઈપીઓની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એલઆઈસીનો આઈપીઓ 4 મેએ ઓપન થશે અને આ ઈસ્યુ 9 મે સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ દરમિયાન અનલિસ્ટેડ માર્કેટમાં એલઆઈસીના શેર્સનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 85 રૂપિયા પહોંચી ગયું છે.એલઆઈસી એ આઈપીઓ માટે 902-949 રૂપિયા પ્રાઈસ બેન્ડ રાખવામાં આવી છે. ગ્રે માર્કેટ પર નજર રાખનારા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોમવારે ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેરનો ભાવ 1035 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો હતો.…
ચેન્નઈ એકપણ મેચ હારશે તો મુશ્કેલીમાં મુકાશે. CSK જો હવે 5 મેચ જીતી જશે તો તેના 16 પોઈન્ટ થશે. ગુજરાત ટાઈટન્સ 9 મેચમાં 8 જીત સાથે નંબર-1 પર છે. મહેન્દ્ર સિંહ ધોની ફરીથી ચેન્નઈના કેપ્ટન બની ગયા છે. વળી માહીએ કેપ્ટનશિપ સંભાળ્યા પછી ટીમે હૈદરાબાદને હાઈસ્કોરિંગ મેચમાં હરાવી દીધું છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડની આક્રમક બેટિંગથી લઈ મિડલ ઓર્ડરે પણ શાનદાર લય મેળવી લીધી હતી. તેવામાં હવે આ સિઝનમાં ચેન્નઈની માત્ર 5 મેચ જ બાકી છે તો ફેન્સને એ સવાલ થઈ રહ્યો છે કે ધોની કેવી રીતે પ્લેઓફમાં CSKને પહોંચાડશે! ચલો ટીમના સમીકરણો પર નજર ફેરવીએ. CSK જો હવે 5…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રની સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી ઈદને લઈને જામા મસ્જિદ વિસ્તારમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી હતી લોકો પહેલાની જેમ ઈદની ખરીદીમાં પૈસા ખર્ચી રહ્યા નથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એટલે કે ગઈકાલે સમગ્ર દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રના એક દિવસ પહેલા શુભેચ્છા પાઠવી હતી, અને દરેકને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે કામના પણ કરી હતી.સમગ્ર ભારતભરમાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. ગત રવિવારે, દિલ્હી સહિત દેશના કોઈપણ ભાગમાં ઈદનો ચાંદ ન દેખાયો હતો. ત્યારે આજે સવારે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશવાસીઓને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા…
નવાઝે સિક્યોરિટીએ ચાહકને સેલ્ફી લેતાં અટકાવ્યો. યુઝર્સે નવાઝને ‘ગોલ્ડન હાર્ટ’ કહ્યો નવાઝ હાલમાં જ ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘હીરોપંતી 2’માં જોવા મળ્યો હતો બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી માત્ર પોતાની એક્ટિંગને કારણે જાણીતો નથી, પરંતુ પોતાની વિનમ્રતાને કારણે પણ જાણીતો છે. નવાઝ ડાઉન ટૂ અર્થ એક્ટર્સમાંથી એક છે. હાલમાં જ નવાઝે મુંબઈના રસ્તા પર ચાહકો સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.નવાઝ તાજેતરમાં જ કાફેમાંથી બહાર આવતો હતો. આ દરમિયાન ચાહકો ભેગા થઈ ગયા હતા અને સેલ્ફી લેતા હતા. નવાઝના સિક્યોરિટી ગાર્ડે સેલ્ફી લેવાની ના પાડી હતી. આ જોઈને નવાઝે પોતાના ગાર્ડને કહ્યું હતું, ‘ચાહકોને અટકાવો નહીં.’નવાઝનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ…
કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ કચ્છમાં ભૂકંપના આંચકાની ઘટના છાશવારે બની રહી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ આંચકાનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પહેલા ગઈકાલે વહેલી સવારે ગીર સોમનાથના તલાલામાં ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા (18 માર્ચ…
ઈલકેશન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું ઉનાળાની ગરમીમાં ખાદીના વેચાણમાં જબરદસ્ત ઉછાળો 23મીએ ગુજરાતમાં યોજાનાર ચૂંટણી સુધી આ પ્રકારનાં જ માહોલની આશા લોકતંત્રનાં મહાપર્વ એવાં લોકસભાની ચૂંટણી તબક્કાવાર યોજાઇ રહી છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે હાલમાં ઈલકેશન માહોલ વચ્ચે ખાદીના વસ્ત્રોનું વેચાણ વધ્યું છે. ચૂંટણીની જાહેરાત બાદ અત્યાર સુધીમાં ખાદીનાં વેચાણમાં 25 ટકા જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે વર્ષમાં જ્યારે ખાદી પર મોટા પ્રમાણમાં વળતર મળતું હોય તેવા સંજોગોમાં સામાન્ય લોકો ખાદીનાં વસ્ત્રો અને ખાદીની ખરીદી કરતાં હોય છે. પરંતુ આ વખતે દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. ચૂંટણીની અસર કહો કે, ઉનાળાની ગરમીની અસર આ બંને વચ્ચે ખાદીના વેચાણમાં…
ઉત્તરપ્રદેશના કાસગંજમાં બોલેરો અને ટેમ્પો વચ્ચે ધડાકાભેર ટક્કર માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત અને 8થી વધુ લોકો ઘાયલ તમામ સત્સંગમાં હાજરી આપવા જઇ રહ્યાં હતા ઉત્તરપ્રદેશના કાસગંજમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યાં છે. કાયમગંજ રોડ પર અશોકપુર મોડ પાસે એક બોલેરો કાર અને ટેમ્પો વચ્ચે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા તેમજ આઠથી વધુ લોકો ઘાયલ થયા હતાં. જણાવી દઇએ કે, આ ઘટના મંગળવારના રોજ સવારે ઘટી હતી.જો કે, આ ઘટનાની જાણ થતા જ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને પટિયાલી CHCમાં ખસેડ્યા છે. ત્યાંથી સ્થિતિ ગંભીર બનતા તમામને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા.…