Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

ગુજરાતીઓનો સૌથી ફેવરિટ નાસ્તો ઢોકળાં માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકાય છે ઢોકળા બનાવવા માટે શુ જરૂર પડે? ગુજરાતનો ફેમસ નાસ્તો ઢોકળા હવે ગુજરાતમા જ નહિ, પરંતુ આખા દેશમાં બહુ જ શોખથી ખાવામાં આવે છે. હેલ્ધી હોવાથી તે ભારતીયોના નાસ્તામાં સામેલ થયો છે. ઢોકળા બનાવવામાં પહેલા જ્યા બહુ જ જફા થતી હતી, ત્યાં આજે અમે તમને ઢોકળા બનાવવાની સરળ રેસિપી બતાવીશું. આજે અમે બતાવીશું કે કેવી રીતે માઈક્રોવેવની મદદથી તમે ટેસ્ટી ઢોકળા બનાવી શકો છે. જાણી લો ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની રીત: 1 કપ બેસન 1 મોટો ચમચો રવો 2 કાપેલા લીલા મરચાં 2 ઈંચ ટુકડા આદુને ક્રશ…

Read More

48 કલાક સુધી પુરી-ઢેંકનાલ સહિત 18 જિલ્લામાં યલો એલર્ટ NDRFની 17 અને ODRAFની 20 ટીમો તહેનાત છેલ્લા કેટલાક વર્ષોથી ઓડિશા વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું અસાનીના જોખમને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જોખમને જોતા સરકારે NDRFની 17 ટીમો અને ODRAFની 20 ટીમો તહેનાત કરવામાં આવી છે. 175 ફાયર બ્રિગેડને પણ તહેનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે પુરી, ઢેંકનાલ અને ઉત્તર કોસ્ટલ ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શુક્રવારથી લઈને શનિવાર સુધી ભારે પવન…

Read More

 બજારમાં પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો સસ્તા સ્ટોક્સ શોધવાના ફક્ત બે જ રસ્તા રોકાણકારો વેલ્યુ ઈન્વેસ્ટિંગ તરફ પાછા દોડ્યા શેરમાર્કેટમાં રોકાણ કેવી રીતે અને ક્યાં કરવું તે રોકાણકારો માટે મોટો પ્રશ્ન હોય છે. જોકે, દલાલ સ્ટ્રીટના જાણીતા રોકાણકાર રામદેવ અગ્રવાલનું કહેવું છે કે બજારમાં પૈસા કમાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે 10 રૂપિયાની સામગ્રી 5 રૂપિયામાં ખરીદવી. આવું ત્યારે જ થઈ શકે છે જ્યારે માર્કેટમાં ભય અને અચોક્કસતાનું વાતાવરણ હોય, તેમ મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસિસના ચેરમેને જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે સસ્તા સ્ટોક્સ શોધવાના ફક્ત બે જ રસ્તા છે- એક તો જ્યારે બધા લોકો ભયના કારણે વેચી રહ્યા હોય અથવા તો…

Read More

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચારના બ્યૂગલ ફૂંકાયા રાજકિય નેતાઓના ગુજરાત પ્રવાસમાં સતત વધારો 10મી એ રાહુલ ગાંધી, 11મી એ કેજરીવાલ ગજવશે સભા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશની મોટી પાર્ટીઓના દિગ્ગજ નેતાઑ સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આવતા સપ્તાહમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દિલ્હી સીએમ અને આપના સંયોજન અરવિંદ કેજરીવાલ તેમજ વડાપ્રધાન મોદીનો પણ સંભવિત પ્રવાસ યોજવાનો છે. આપને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ આ વખતે ગુજરાતના સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. રાજકોટના શાસ્ત્રીમેદાનમાં 11 મેએ સાંજે 5 વાગ્યે કેજરીવાલની જાહેર સભા ગજવશે અને રાજકોટથી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર બ્યૂગલ ફૂંકશે.કેજરીવાલની સભાને લઇને શાસ્ત્રીમેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.…

Read More

આજથી કેદારનાથનાં કપાટ ખૂલ્યા હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા બે વર્ષ પછી પ્રથમ વખત કેદારનાથ ધામનાં કપાટ ખૂલશે કેદારનાથનાં દર્શનની રાહ આજે ખત્મ થઈ જશે.. આજથી બાબાના મંદિરના કપાટ ખુલશે. આ દરમિયાન બાબા કેદારની પંચમુખી ડોલી આજે ગૌરીકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકો કેદારનાથ ધામ પહોંચી ગયા છે. આ કારણે ત્યાંની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધી 21 કિલોમીટર ચાલીને જવાનો રસ્તો સંપૂર્ણ રીતે પેક થઈ ગયો છે. કેદારનાથ ધામમાં હોટલોના રૂમ ઓછા પડી રહ્યાં છે. એક-એક રૂમનું રેન્ટ 10થી 12 હજાર રૂપિયા સુધી પહોંચી ગયું છે. રાત પસાર કરવા માટે…

Read More

કાર્બાઇડથી પાકેલા ફળોની અસર પાચન તંત્ર પર પડે છે ગર્ભવતી મહિલાઓએ આ ફળનું સેવન ટાળવું જોઈએ ફળને ચાર-પાંચ કલાક પાણીમાં રાખો પછી સેવન કરો ઉનાળાની ગરમીમાં ઠંડા પીણાં પીવાનું મન થતું હોય છે, તેમાં પણ જ્યુસ પહેલી પસંદગી હોય છે. ઉનાળામાં બજારમાં અલગ-અલગ પ્રકારના જ્યુસ મળતા હોય છે. આ જ્યુસ બહારથી ચમકતા અને અંદરથી કાચા ફળોમાંથી બનાવવામાં આવે છે. કૃત્રિમ રીતે પકાવવામાં આવેલાં ફળો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. લાંબા સમય સુધી આ ફળો ખાવાથી કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ, આંતરડામાં અલ્સર જેવી અનેક બીમારીનો ભોગ બની શકાય છે.દિલ્લીની શાદીપુર આરકેએલસી મેટ્રો હોસ્પિટલના પલ્મનોલોજીસ્ટ ડો. રાજેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે,…

Read More

 5મેના રોજ સૂર્યનું થશે  રાશિ પરિવર્તન 6 રાશિના લોકોને થશે તેનો લાભ   જીવનમાં પ્રગતિ થશે, ખુશીઓ આવશે અને થશે પૈસાનો વરસાદ   સૂર્યના રાશિ પરિવર્તનની તમામ લોકોના જીવન પર મોટી અસર પડે છે કારણ કે સૂર્ય વ્યક્તિની કારકિર્દી, સ્વાસ્થ્ય, સફળતા વગેરેને અસર કરે છે. સૂર્ય દર મહિને રાશિ બદલે છે. 15 મેના રોજ સૂર્ય મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. તે 15 જૂન સુધી વૃષભ રાશિમાં રહેશે. 6 રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. તેમને તેમની કારકિર્દીમાં ઘણી સફળતા મળશે, સાથે જ આર્થિક લાભ પણ મળશે. મેષ સૂર્યનો વૃષભ રાશિમાં પ્રવેશ તમને ઘણો લાભ આપશે. કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. મિલકત…

Read More

એક સાથે જન્મેલા નવ બાળકો થયા એક વર્ષના એક સાથે 9 બાળકોના જન્મનો છે વર્લ્ડ રેકોર્ડ એક વર્ષથી ડોક્ટર અને નર્સો માતા-બાળકોની રાખે છે સંભાળ વિશ્વ વિખ્યાત માલિયન નોનપ્લેટ્સે 4 મે 2022 ના રોજ તેમનો પ્રથમ જન્મદિવસ ઉજવ્યો હતો. નવ બાળકોનો જન્મ 4 મે 2021 ના ​​રોજ થયો હતો. એક સાથે 9 બાળકોને જન્મ આપનાર પ્રથમ કિસ્સો બન્યો છે. જેને પગલે તેમણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. અગાઉનો રેકોર્ડ 2009 માં નાદ્યા સુલેમાન (યુએસએ) ઉર્ફે “ઓક્ટોમોમ” ને જન્મેલા આઠ બાળકોનો હતો.”તેઓ બધા હવે હાલતા શીખી રહ્યા છે.” તેમના પિતા, અબ્દેલકાદર આર્બીએ જણાવ્યુ હતું કે, “કેટલાક વસ્તુને પકડીને…

Read More

રોયલ એનફિલ્ડ પરફોર્મન્સ બાઈક માટે અપડેટ્સ આપતી રહે છે હિમાલયનમાંથી હટાવ્યું ટ્રિપર નેવિગેશનને સ્ટાડર્ડ ફિચર ક્રુઝર બાઇક હવે 3 વેરિઅન્ટ અને 10કલર સ્કીમમાં ઉપલબ્ધ દેશની પ્રખ્યાત વાહન નિર્માતા કંપની રોયલ એનફિલ્ડ (Royal Enfield) પરફોર્મન્સ બાઈક બનાવવા માટે તેના વાહનોને સતત નાના-મોટા અપડેટ્સ આપતી રહે છે, પરંતુ તાજેતરની અપડેટ રોયલ એનફિલ્ડના ચાહકો અને સંભવિત ખરીદદારો માટે સારી રીતે ન જાય. ચેન્નાઈ સ્થિત બાઇક નિર્માતાએ તેની મોટરસાઇકલ મીટીયોર 350 અને હિમાલયન માંથી ટ્રિપર નેવિગેશનને સ્ટાડર્ડ ફિચરમાંથી હટાવી દીધું છે. આ ક્રુઝર અને એડવેન્ચર ટુરર મોટરસાઇકલના તમામ પ્રકારો આ સુવિધા સાથે પ્રમાણભૂત તરીકે ઓફર કરવામાં આવ્યા હતા, પરંતુ નવીનતમ અપડેટ બાદ, આબાઇક્સ…

Read More

આજની નવી પેઢી વિદેશોમાં અભ્યાસ કરવા કે ત્યાં સ્થાયી થવાની પ્રબળ ઇચ્છા રાખે છે. પોર્ટુગલ બીજા દેશોની સરખામણીએ ઘણો સસ્તો છે કોસ્ટા રિકા દુનિયામાં રહેવા માટે સૌથી સસ્તા અને સુરક્ષિત દેશોમાંથી એક છે આજની નવી પેઢી વિદેશોમાં અભ્યાસ કરવા કે ત્યાં સ્થાયી થવાની પ્રબળ ઇચ્છા રાખે છે. એવામાં એમના પરિવાર માટે મહત્વનો વિષય એ બની રહે છે કે વિદેશમાં સ્થાયી થવાની ઇચ્છા રાખતુ એમનુ સંતાન જલ્દીથી Settled થાય અને સુરક્ષિત રહે. જોકે ઘણા પરિવાર માટે સંતાનોને વિદેશ મોકલવા માટે આર્થિક સંઘર્ષ પણ કરવો પડે છે. ઘણા દેશ ભારતની સરખામણીએ મોંઘા છે પરંતુ સુરક્ષિત છે, તો ઘણા દેશો એવા પણ છે…

Read More