Author: Mukhya Samachar

India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on

બંગાળની ખાડીમાં આવેલા  તોફાનનું  વાવાઝોડામાં પરિવર્તન  થયું  આગામી 24 કલાકમાં Cyclone Asani વધુ તીવ્ર બને તેવી શક્યતા વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે બંગાળની ખાડીમાં આવેલું તોફાન રવિવારના રોજ તેજ થઇને તે વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું છે. જેની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું કે, ‘આસની’ (Cyclone Asani) નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.  જો કે, દરિયાકાંઠાના વિસ્તારને અથડાયા વિના આ વાવાઝોડું આવતા સપ્તાહ સુધીમાં નબળું પડી શકે છે. હવામાન કચેરીએ જણાવ્યું કે, વાવાઝોડાંની અસરના કારણે ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન…

Read More

શાહરુખ ખાન લાંબા સમય પછી જોવા મળશે રૂપેરી પડદે તે દિવસ દરમિયાન ૧૦૦ સિગારેટ ફૂંકી શકે છે શાહરુખ ખાન છે સ્વાદિષ્ટ ભોજનના શોખીન બોલીવૂડના કિંગ ખાનને તો આપ સૌ મિત્રો જાણો છો પરંતુ શું તમે તેની આદતો વિશે જાણો છો?  શાહરૂખ ખાન લાંબા સમય પછી રૂપેરી પડદે જોવા મળવાનો છે. શાહરૂખને સિગારેટ પીવાની કુટેવ છે  તેમજ તે બ્લેક કોફી પણ વધુ પડતી પીએ છે. તે ઉપરાંત તેને અનિંદ્રાની બીમારી છે.શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં જમાવ્યું હતું કે, મને ઊંઘ નથી આવતી. હું દિવસમાં લગભગ ૧૦૦ સિગારેટ ફૂંકી લઉં છું. હું ખાવાનું પણ ભૂલી જાઉં છું. શૂટિંગ પર હોઉં ત્યારે અન્યોને ખાતા જોઇને…

Read More

લગ્નમાં સારા આકર્ષીત દેખાવ માટે પાયલ વગર અધૂરો છે મહેંદી અને હલદીનાં લુકને પાયલ બનાવે છે આકર્ષિત ફંકશન અને લુક મુજબ પાયલોનાં છે અનેક પ્રકાર હાલમાં દરેક છોકરીઓ તેનાં લગ્ન દિવસને ખાસ બનાવવા માટે શું નથી કરતી હોતી. તેઓ તેમનાં બ્રાઇડલ લુક માટે સારો મેકઅપ અને ફૂટવેરની  સાથે તેમનાં મહેંદી નાં લુક માટે પણ ઉત્સૂક હોય છે. જો તમારે પણ તમારા પગની સુંદરતાને આકર્ષિત બનાવવા માંગતા હોય તો, ભારતીય પરંપરા મુજબ દુલ્હનને લગ્ન દરમિયાન પગ પર ઘણા ઘરેણાં પહેરાવવામાં આવે છે, જેમાં પાયલ પણ શામેલ છે. તેથી આજે અમે નવી નવવધૂઓ માટે કેટલીક નવી શૈલીની પાયલ રજૂ કરી રહ્યાં છીએ.…

Read More

ભારતીય વાનગીઓ પ્રાદેશિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિબિંબ ભાપા બંગળીઓની શાકાહારી વાનગીઓમાંની એક છે દેશમાં અને વિદેશમાં પ્રખ્યાત એવી હૈદરાબાદી બિરયાની તમે આખી દુનિયામાં પ્રવાસ કર્યો હશે ત્યારે દરેક પ્રકારની વાનગીઓ પણ અજમાવી હશે, પરંતુ જ્યારે તમને તમારા આરામદાયક ખોરાકની જરૂર હોય, ત્યારે તમને ખ્યાલ આવે કે ભારતીય ભોજન જેવું કંઈ નથી.ભારતની પ્રાદેશિક અને સાંસ્કૃતિક વિવિધતા તેના ખાદ્યપદાર્થોમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે અને સંભવત તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય ખોરાક અન્ય દેશોની સરખામણીમાં આગળ છે. ભારતીય ખાદ્યપદાર્થોમાં કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે જે તેને ‘ખરેખર દેશી’ બનાવે છે; અજમો, લવિંગ, કાળી એલચી, સ્ટાર વરિયાળી, ધાણાજીરું અને આમલી જેવા મસાલાનો તેનો…

Read More

એગ્રી કોમોડિટીમાં તેજીના વળતાં પાણી જોવા મળશે એલ્યુમિનિ-કોપરમાં નરમાઇનો ટ્રેન્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 23 ડોલરની સપાટી ગુમાવી વૈશ્વિક સ્તરે સતત વધતી મોંઘવારીના કારણે અન્ય રોકાણ સાધનો જેમકે બેન્ક ડિપોઝીટ, બોન્ડ યિલ્ડમાં રોકાણ પ્રવાહ વધુ મજબૂત બનશે. જેના પરિણામેસોના-ચાંદીમાં ભાવ વધુ ઘટે તેવા સંકેતો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 23 ડોલરની સપાટી ગુમાવી છે જે 21 ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયો મજબૂત બને અને ચાંદી ઝડપી 63000ના સ્તરે પહોંચે તો નવાઇ નઈ! જ્યારે સોનામાં 52500-52000નું અનુમાન છે. ફેડ વ્યાજ વધારો માર્કેટ માટે નિર્ણાયક સાબીત થશે. ખાદ્યતેલો રેકોર્ડ સ્તરથી સરેરાશ 10 ટકા સુધી ઘટ્યાં છે. જ્યારે અન્ય એગ્રી…

Read More

ફાઇબરથી ભરપૂર ખોરાકનું સેવન કરો ડાયાબિટીસના દર્દીઓ માટે સુગર પહેલેથી જ મોટી સમસ્યા છે. દિવસમાં ચાર કે પાંચ મિની-મીલ લેવાનો પ્રયાસ કરો જો તમને ડાયાબિટીસ છે, તો પ્રાથમિક સ્વાસ્થ્ય સંબંધિત બાબતો પર નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરો . દરેક વ્યક્તિ માટે કોઈ સામાન્ય આહાર ન હોવા છતાં, ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે. તમારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટેની ઉપયોગી ટીપ્સ: તમારા આહારમાં ફાઇબરથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો એ સૌથી આવશ્યક ટીપ્સમાંની એક છે. ફાઇબરના કેટલાક સ્ત્રોતોમાં આખા અનાજ, આખા કઠોળ, બદામ, બીજ, ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. કાર્બોહાઇડ્રેટની નિશ્ચિત માત્રા: જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો દરરોજ ઘણા બધા કાર્બોહાઇડ્રેટ્સ…

Read More

ટીકરથી હળવદ સુધીના પટ્ટામાં મીઠું પાકે છે કચ્છના સૂરજબારી પાસે બમ્પર મીઠું પાકે છે પણ તે દરિયાનાં પાણીથી પાકે છે અફાટ રણમાં મીઠાંના અગર. ગુજરાત આખા દેશને ડાયમંડ પૂરા પાડે છે, કાપડ આપે છે, કેરી આપે છે, પટોળા આપે છે.એક નહીં, અનેક વસ્તુઓ ગુજરાતમાંથી દેશ નહીં, વિદેશમાં પહોંચે છે. એમાંનું એક છે મીઠું. ભારતની જરૂરિયાતનું 76 ટકા મીઠું કચ્છના નાનાં રણમાં પાકે છે. એમાં પણ બે ભાગ છે. એક, દરિયાના પાણીથી પાકતું મીઠું અને બીજું રણમાં જમીનની અંદરથી નીકળતા પાણીમાંથી બનતું મીઠું. જમીનની અંદરથી પાણી નીકળે છે તેવા રણના વિસ્તારમાં ગયા વર્ષથી પાણી ઘટી રહ્યું છે. આવા વિસ્તારને ઈન્લેન્ડ ઝોન…

Read More

બપોરે કમલમ ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાશે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેસ ધારણ કરશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કરશે સ્વાગત ગુજરાત વિધાનસભાની ચુંટણી માથે છે ત્યારે ભાજપ પક્ષમાં હાલ પ્રવેસોત્સવ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટીથી નારાજ અનેક નેતાઓ પક્ષ બદલી ભાજપના રંગે રંગાઇ રહ્યા છે. કોંગ્રેસ સાથે છેડો ફાડી અનેક નેતાઓ ભાજપ અને આપમાં ગયા બાદ આ શીલશીલો યથાવત રહેવા પામ્યો છે. તેવા સંજોગો વચ્ચે આવતીકાલે 50 જેટલા ડૉક્ટર ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપમાં ભરતી થવા લાગી છે, જેને કારણે રાજયમાં ભાજપ મજબૂત બન્યું છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષમાં ગાબડું…

Read More

વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે 8મે થી 11 મે દરમિયાન કેટલાંક રાજ્યોમાં ‘લૂ’નો પ્રકોપ દેખાશે આંદામાન-નિકોબાર ટાપુ પર હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે શનિવારે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન ઓડિશા અથવા આંધ્ર પ્રદેશમાં દસ્તક નહીં આપે, પરંતુ દરિયાકાંઠે સમાંતર આગળ વધશે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ જણાવ્યું હતું કે, વાવાઝોડું ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ વળશે અને ઉત્તર આંધ્ર-ઓડિશા કિનારેથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે. મહાપાત્રાએ કહ્યું કે, તે હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં કિનારા તરફ આગળ વધી રહ્યું છે. તે 10 મેની સાંજ સુધીમાં તે દિશામાં આગળ વધવાનું ચાલુ રાખશે અને પછી ઉત્તર-ઉત્તરપૂર્વ…

Read More

શાસ્ત્રોમાં ‘મા’ નું સ્થાન સર્વોપરી બતાવ્યું છે માતા ત્યાગ અને બલિદાનની મૂર્તિ છે ‘મા’ એ અલૌકિક શબ્દ છે. ‘स्त्री ना होती जग म्हं, सृष्टि को रचावै कौण। ब्रह्मा विष्णु शिवजी तीनों, मन म्हं धारें बैठे मौन। एक ब्रह्मा नैं शतरूपा रच दी, जबसे लागी सृष्टि हौण।‘ (એટલે કે સ્ત્રી ન હોત તો સૃષ્ટિ થઈ શકી ન હોત. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ સૃષ્ટિનું સર્જન કરવામાં અસમર્થ બેઠા હતા. જ્યારે બ્રહ્માજીએ સ્ત્રીનું સર્જન કર્યું, ત્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ.) માતા વિના આપણે આ દુનિયામાં કંઈ નથી કારણ કે માતા જ આપણા બધાને જન્મ આપે છે. કારણ કે માતાએ આપણને જન્મ આપ્યો…

Read More