What's Hot
- શું આ 30 વર્ષ જૂની ટીવી સિરિયલ OTT પર રિલીઝ થશે? દિગ્દર્શકે પોતાના દિલની ઈચ્છા વ્યક્ત કરી
- સરકાર ખેડૂતો માટે 1000 કરોડ રૂપિયાનું લોન ગેરંટી ફંડ બનાવશે, જાણો તેનાથી શું ફાયદો થશે
- TATA PUNCH વધુ અપગ્રેડ થયું, કંપનીએ આ નવા ફીચર્સ બજારમાં રજૂ કર્યા, જાણો કિંમત
- Xiaomi એ લગાવ્યો મોટો કૂદકો, આ મામલે Appleને પાછળ છોડી દીધું
- ચપ્પલે કરી દીધી મોટી મોકાણ, સામાન્ય વાત પર દર્દીના પરિવારજનોએ ડોક્ટરની કરી દીધી ધુલાઈ
- વર્લ્ડકપની ફાઈનલ મેચનો હીરો આટલા દિવસો પછી ODIના મેદાન પર
- ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ને લઈને સરકાર સામે આ મોટા પડકારો છે, કેબિનેટમાંથી પસાર થવું એટલું જ પૂરતું નથી
- કાકડી-બૂંદીનું રાયતુ પણ થઇ જશે ફેલ, જયારે ખાસો બટાકાથી બનાવેલું મસાલેદાર રાયતુ ઘરમાં બધા કરશે વખાણ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
તરબૂચ સ્વાદમાં ઠંડક આપે છે અને આ સિઝનમાં સરળતાથી મળી રહે છે. એટલું જ નહીં, તે ઉનાળામાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવાનું પણ કામ કરે છે (benefits of Watermelon). આવી સ્થિતિમાં, જો તમે ઘરે કંઈક ખાસ બનાવવાનું વિચારી રહ્યાં છો, તો તરબૂચમાંથી બનેલી કુલ્ફી ચોક્કસ ટ્રાય કરો. તે બનાવવું સરળ છે, પરંતુ તેને બનાવવામાં ઓછી મહેનત પણ લાગે છે. તો આવો જાણીએ કેવી રીતે બને છે તરબૂચની કુલ્ફી. તરબૂચ ઉનાળામાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટ રાખવાનું પણ કામ કરે છે કુલ્ફી કાળઝાળ ગરમીથી રાહત આપે છે આવી રીતે ઘરેજ બનાવો તરબૂચ ની કુલ્ફી ઉનાળાની ઋતુમાં આપણે પોતાને ઠંડુ રાખવા માટે ઘણા…
એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ક્રેશ થયું સરકારી હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાયલોટના નિપજ્યાં મોત છત્તીસગઢના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છત્તીસગઢના રાયપુરમાં સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર ગુરુવાર રાત્રે સરકારી હેલિકોપ્ટર ઓગસ્ટા વેસ્ટલેન્ડ ક્રેશ થઈ ગયું. ચોપરમાં હાજર બંને પાયલટ્સનાં મોત નિપજ્યાં છે. CM ભૂપેશ બઘેલે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ ટેક્નિકલ ફોલ્ટના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી મહિતી મુજબ લેન્ડિંગ દરમિયાન ચોપ ઝડપથી જમીન સાથે અથડાયું અને ક્ષતિગ્રસ્ત થઈ ગયું. રેસ્ક્યૂ ટીમ અને પોલીસ ઘટના સ્થળે હાજર છે. મોડી રાત સુધી હેલિકોપ્ટરનો કાટમાળ હટાવવાનું કામ થયું. એરપોર્ટના ડાયરેક્ટરે કહ્યું કે આ દુર્ઘટનાના કારણે રુટીન…
વીજળીમાં યુનિટદીઠ 20 પૈસાનો વધારો કરાયો ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોને થશે અસર છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વખત ઇંધણ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કરીને રૂ. 2.50 કર્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. આ વધારાની અસર કૃષિ ઉપભોક્તા સિવાયના તમામ વર્ગના ગ્રાહકોના વીજ બિલ પર પડશે. ભૂતપૂર્વ મુખ્ય સચિવ અનિલ મુકિમની આગેવાની હેઠળ ગુજરાત ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC) એ તેની માટે જ મંજૂરી આપ્યા બાદ FPPPA વધારવામાં આવ્યો છે. એક સપ્તાહ પહેલાં એક ખાનગી ન્યુઝપેપરે એવો અહેવાલ આપ્યો હતો કે, GUVNL એ GERC પાસેથી FPPPAમાં 32 પૈસાના વધારાની…
જો બીપી હોય તો હવે તમારે દવા લેવાની જરૂર નથી માત્ર આ નાની-નાની વસ્તુઓને કરો ફૉલો તમારું બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં શરીરમાં બ્લડ પ્રેસર વધવુ અને ઘટવુ આરોગ્ય માટે સારું નથી. બદલાતી જીવનશૈલી અને ખરાબ ખાન-પાનના પગલે મોટાભાગના લોકોને આ પ્રકારની પરેશાની થાય છે. ઘણી વખત તો સ્થિતિ એવી થાય છે કે કેટલાંક લોકોએ આખુ જીવન બીપીની ગોળીઓ ખાવી પડે છે. અમે એવી ટિપ્સ લઇને આવ્યાં છીએ, જેમાં તમારે દવા ખાવાની જરૂર નથી. પરંતુ નાની-નાની વસ્તુઓને ફૉલો કરીને તમે સરળતાથી તમારા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકો છો. દરરોજ કસરત કરો કેટલાંક લોકો કસરત કરતા નથી. જેને પગલે તમારું શરીર અનેક…
મોંઘવારીના મોરચે આમ આદમીને લાગ્યો મોટો ઝટકો મોંઘવારીના મોરચે તૂટ્યો 8 વર્ષનો રેકોર્ડ એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી દર વધીને 7.79 ટકા થયો માર્ચ 2022ની તુલનાએ એપ્રિલ 2022માં છૂટક મોંઘવારી વધીને 7.79 ટકાએ પહોંચતા આમ આદમીને તગડો ઝટકો લાગ્યો છે. ગુરુવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, રિટેલ મોંઘવારી દર એપ્રિલમાં વધીને 7.79 ટકા થયો છે જે માર્ચ 2022માં 6.95 ટકા હતો, આ રીતે એક મહિનામાં રિટેલ મોંઘવારીમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા મુજબ એપ્રિલમાં રીટેલ ફુગાવાનો દર વધીને 7.79 ટકા થયો છે. ઇંધણના ભાવ અને ખાદ્ય પદાર્થો મોંઘા થવાને કારણે ફુગાવાના દરમાં તીવ્ર…
હંમેશા ધનની તિજોરીઓ રહેશે ભરેલી ઘરમાં આ 4 વસ્તુઓ રાખો થશે ફાયદો કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે લોકો પૈસા કમાવવા માટે અનેક કોશિશ કરે છે, પરંતુ કેટલાક લોકો સરળતાથી પૈસા કમાઈ લે છે અને કેટલાક મહેનત કરીને ઘરની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી નથી કરી શકતા. વાસ્તુશાસ્ત્રમાં તેની પાછળ કેટલાક કારણો જણાવવામાં આવ્યા છે. ઘરના વાસ્તુ દોષોને કારણે નકારાત્મકતા ઉર્જા ઘરમાં પૈસા નથી રહેવા દેતી. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી વિન્ડ ચાઇમ જ્યારે પવન ફૂંકાય છે ત્યારે વિન્ડ ચાઈમમાંથી આવતો સુંદર મધુર…
પાટણના ભાટસણમાં અનુસુચિત જાતિના વરઘોડા પર પથ્થરમારો પોલીસ બંદોબસ્ત સાથે ફરી વરઘોડો નીકળ્યો વરઘોડા પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો ગુજરાતમાં ફરી એક્વાર વર્ગ વિગ્રહ સામે આવ્યો છે. પાટણના ભાટસણ ગામમાં કેટલાક શખ્સોએ અનુસુચિત જાતિના યુવકના લગ્નના વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, ત્યારબાદ પોલીસ બંદોબસ્ત સાથે ફરીથી વાજતે ગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે ગુરુવારે સવારે 9 વાગ્યા આસપાસ અનુસૂચિત જાતિના વિજય રામજી પરમાર લગ્ન પ્રસંગે ગામમાં ડીજે સાથે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. ત્યારે કેટલાક શખ્સોએ વરઘોડા ઉપર પથ્થરમારો કરતા નાસભાગ મચી જવા…
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ભારે માગ છે હોન્ડા એક્ટિવા હાલમાં ભારતનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે હોન્ડા પોતાનું એક્ટિવા ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી શકે છે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોની ભારે માગ છે, જે મુખ્યત્વે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની માગમાં વધારો કરી રહી છે. બજારમાં ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટરનું રેકોર્ડબ્રેક વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે ભારતનું આ ફેવરિટ સ્કૂટર હવે ઇલેક્ટ્રિક બેટરી સાથે લોન્ચ કરવામાં આવશે. ગયા મહિને હોન્ડા ટુ-વ્હીલરે જાહેરાત કરી હતી કે, તે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. હવે ચર્ચા એ છે કે, હોન્ડા પોતાનું એક્ટિવા ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરી શકે છે. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા…
ભારતના ઘણા રાજ્યો એવા છે જે આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલા છે. અહીં કેટલાક વિસ્તારો સંવેદનશીલ હોવાને લીધે પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અરુણાચલ પ્રદેશ ભૂટાન, પૂર્વમાં મ્યાંમાર અને ઉત્તરમાં ચીન સાથે સરહદે જોડાયેલુ છે લક્ષદ્વીપ ભારતની મુખ્ય ભૂમિથી 300 કિમી દૂર અરબ સાગરમાં સ્થિત છે લદાખની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પ્રદેશ ખૂબ જ સંવેદનશીલ છે કોઇપણ દેશના નાગરિકે વિદેશ જવા માટે વિઝા મેળવા જરુરી છે, પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે ભારતના કેટલાક રાજ્યો એવા છે જ્યાં પ્રવેશ કરવા માટે ભારતીયોએ પણ ‘વિઝા’ લેવા પડે છે. આ એવા રાજ્યો છે જ્યાં દેશના અન્ય રાજ્યોના લોકોએ ઇનર લાઈન પરમિટ…
સ્માર્ટફોન વગર આજના જીવનમાં ઘણા કામ અધૂરા થઇ શકે છે. ખરેખર આજના સમયમાં ફોનથી લગભગ બધા કામ કનેક્ટેડ થાય છે. ખાસ કરીને લોકડાઉન દરમ્યાન અને ત્યારબાદ ફોનનુ મહત્વ અને જરૂરીયાત વધી ગયુ છે. આ જ કારણ છે કે ફોનની સાથે તમારા ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. આ ટ્રીક અપનાવશો તો જલ્દી પૂર્ણ નહીં થાય મોબાઈલ ડેટા લિમિટ પૂર્ણ થયા બાદ યુઝર્સને સ્લો સ્પીડનું ઈન્ટરનેટ મળે છે સ્માર્ટફોન યુઝર્સ અનેક પ્રકારની કપરી પરિસ્થિતિનો કરે છે સામનો આ રીતે તમે તમારા નેટની લિમિટ વધારી શકો છો આજે ફોનના વધુ પડતા ઉપયોગનો અર્થ છે ઈન્ટરનેટનો વધારે વપરાશ. એવામાં જો તમારું ઈન્ટરનેટનું…