- હોટેલ માં ચેકઆઉટ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નુકસાનથી બચી શકશો
- તહેવારોની સિઝનમાં આ મેક્સી ડ્રેસને દુપટ્ટા સાથે સ્ટાઈલ કરો,દેખાશો એકદમ અલગ
- રોંગ સાઈડ પર વાહન ચલાવવા થશે દંડ, રકમ જાણ્યા પછી તમે ક્યારેય નિયમો નહીં તોડો
- Airtel એ નવો ડેટા પ્લાન લોન્ચ કર્યો, 26 રૂપિયામાં મળશે આટલી સુવિધાઓ
- બ્લડ પ્રેશર અચાનક વધવા લાગે તો કરો આ યોગ, સરળતાથી કંટ્રોલ થઈ જશે.
- નાસ્તામાં ઝટપટ તૈયાર કરો ટેસ્ટી ઓટ્સ અપ્પમ, અહીં જુઓ સરળ રેસિપી
- સુપ્રીમ કોર્ટના હજારો નિર્ણયોનું હિન્દીમાં ભાષાંતર કરાયું, AI ની મહત્વ પૂર્ણ ભૂમિકા
- ગુજરાતમાં આ વર્ષે તાવના દર્દીઓ વધ્યા, આઠ મહિનામાં 39 હજાર દર્દીઓ
Author: Mukhya Samachar
India's Best Gujarati Newspaper & Digital Media For Real-time News Updates, Local News for 100 cities, Short Video News.. Follow us on
ખરાબ ખોરાકથી લગભગ 200 રોગો થઈ શકે છે ગરમીમાં કેમ બગડી જાય છે ખોરાક? ફૂડ પોઈઝનિંગના કેસ વધવાનું શું છે કારણ? ઉનાળામાં તમારે બધાએ દૂધ અથવા ખોરાકના બગાડની સમસ્યાનો સામનો કરવો પડતો હશે. બગડેલું આહાર ખાવાથી તમને ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે. પરંતુ કેટલીક સરળ યુક્તિઓની મદદથી, તમે ઉનાળામાં દૂધ અથવા ખોરાકને બગાડમાંથી બચાવી શકો છો. ચાલો આપણે તેમના વિશે જાણીએ. જો તમે ભાત બનાવ્યા છે અને તે વધ્યા છે, તો ચિંતા કરશો નહીં. તમે ફક્ત તેમને બોક્સમાં બંધ કરો કે જેમાં હવા ન જઇ શકે. હવે આ બોક્સને ફ્રિજમાં રાખો અને પછી સાંજે અથવા બીજા દિવસે સવારે આરામથી ખાઓ.…
ભારે ડિસ્કાઉન્ટ પર એલઆઈસીનું લિસ્ટિંગ લિસ્ટ થતા જ શેરમાં 12 ટકાનો ઘટાડો રોકાણકારોને પહેલા જ દિવસે નુકશાન મહિનાઓની રાહ જોયા બાદ આજે સરકારી વીમા કંપની LICના શેર ઓપન માર્કેટમાં લિસ્ટ થયા હતા. જો કે શેરબજારમાં LICની શરૂઆત સારી રહી નથી. ગ્રે માર્કેટમાં શૂન્યથી નીચેના પ્રીમિયમ પર ટ્રેડિંગ કર્યા પછી LICના શેર BSE પર લિસ્ટ થતાંની સાથે જ તેની પાસે 12 ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. લિસ્ટિંગ પછી, LICનો શેર પ્રથમ દિવસે 12.60 ટકા અથવા રૂ. 119.60 ઘટીને રૂ. 829 પર ખૂલ્યો હતો.LICનો આ પ્રથમ ઈશ્યુ ભારતના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ સાબિત થયો છે. આ IPO માટે 902-949…
ગુસ્સાને કંટ્રોલ કરવા માટે 10 રીતો છે અસરકારક એક વખત તમે શાંત થઈ જાઓ પછી તમારો ગુસ્સો વ્યક્ત કરો ગુસ્સો એ એક તંદુરસ્ત માનવીય લાગણી છે ગુસ્સો એ એક તંદુરસ્ત માનવીય લાગણી છે, પરંતુ જ્યારે તે નિયંત્રણમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે તે સમસ્યાઓનું કારણ બની શકે છે. ગુસ્સાને કારણે પણ ઘણાં બધા શારીરિક અને જૈવિક ફેરફારો થાય છે- હૃદયના ધબકારાં અને બ્લડપ્રેશરમાં પણ વધારો થાય છે જેમકે, એનર્જી હોર્મોન્સ, એડ્રેનાલિન અને નોરેડ્રેનાલિનનું સ્તર વધે છે. ગુસ્સો કોઈપણ વસ્તુ અને કોઈપણ પરિસ્થિતિ દ્વારા ઉત્તેજિત થઈ શકે છે. કેટલીકવાર વ્યક્તિગત જીવનની સમસ્યાઓ પણ ગુસ્સો લાવી શકે છે.’લાગણીઓ સાથે ત્રણ મુખ્ય અભિગમો…
પૈસા કમાવવા છતાં બચત નથી થતી વાસ્તુશાસ્ત્ર મુજબ મળશે ધનપ્રાપ્તિ જ્યોતિષમાં બતાવ્યા છે ઉપાય પૈસાની જરુરિયાત આ દુનિયામાં કોને નથી. જીવન જીવવા માટે પૈસા અનિવાર્ય છે. તેવામાં આપણમાંથી ઘણા એવા લોકો છે જેમના પૈસા પણ બચતા નથી. પૈસાની તંગી, ધનહાનિ અને નકામા ખર્ચાને કારણે પૈસા બચતા નથી. જોકે આની પાછળ બીજા ઘણા કારણ હોઇ શકે જેવા કે વાસ્તુદોષ, કુંડલી જોષ અને બીજી ખરાબ આદતો. ત્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો દર્શાવ્યા છે જેનાથી ધનની સમસ્યામાં ઘણા કારગર નીવડશે. ત્યારે આવો જાણીએ કેટલાક નુસખા.જો તમામ પ્રયત્નો પછી પણ પૈસાની તંગી પૂરી ન થતી હોય તો ઘરના મોભીએ દરરોજ સફેદ ચંદનનું તિલક લગાવવું જોઈએ…
ઇડરના બડોલી માંથી ચંદનના 27 ઝાડની ચોરી 28 ઝાડને થડ માંથી કાપી નાખ્યા સુગંધીદાર ચંદન ચોરી જતાં ખેતર માલિકોએ ઇડર પોલીસમાં ફરિયાદ કરી સાબરકાંઠા જિલ્લાના ઇડરના બડોલીની સીમમાંથી ચંદનચોરોએ બે ખેતરમાંથી 27 ચંદનના ઝાડની ચોરી કરી, 28 ચંદનના ઝાડને નુકસાન કરી 115 કિલો જેટલું સુગંધીદાર ચંદન ચોરી જતાં ખેતરમાલિકોએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઇડરના બડોલીના નાથાભાઈ કોદરભાઈ અને લીલાબેન નાથાભાઈ પટેલની જમીન બડોલીની સીમમાં આવેલી છે. જેમાં લીલાબેનના નામે આવેલ સર્વે નં. 176 માં ચંદનના ઝાડ વાવેલ હતા. નાથાભાઈના પુત્ર રાજેન્દ્રભાઈ તા. 10 મે ના રોજ રાજેન્દ્ર હિંમતનગર નોકરીથી ઘરે વહેલા આવી ખેતરમાં ચંદનના ઝાડ જોવા જતાં ઝાડના…
ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે ખેડૂતો અને ધોરાજી માણાવદર ગામડા માટે સારા સમાચાર ડેમમાં ઓગસ્ટ સુધી પાણી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ રાજકોટ જિલ્લાના ધોરાજી ભાદર બે ડેમ માથી કેનાલ મારફત બે પાણ છોડવામા આવશે તવી તંત્રદ્વારા જાહેરાત કરવામાં આવી છે. ખેડુતો અને ધોરાજી માણાવદર ગામડાઓ માટે સારા સમાચાર આવ્યા છે. ઓગસ્ટ સુધી પાણી ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ભાદર બે ડેમ પચાસ ટકા ભાદર બે ડેમ પાણીથી ભરેલો છે. હાલ જો ચોમાસુ ખેંચાય તો પણ ધોરાજી પોરબંદર સુધી પાણી ચાલી શકે તેટલો પાણી નો જથ્થો ઉપલબ્ધ છે. હાલ ભાદર બે ડેમ ના અધિકારી ના…
રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર દારુની રેલમછેલ વરરાજાને પણ પીવડાવ્યો દારૂ દારૂની રેલમ છેલમનો વિડિયો વાયરલ હાલ રાજ્યભરમાં લગ્નની ફૂલ મોસમ ચાલી રહી છે, ઠેરઠેર માંડવા બાંધેલા અને ડીજેના તાલ પર નાચતા જાનૈયા જોવા મળી જાય છે. આવામા રાજકોટના લગ્ન પ્રસંગનો કથિત વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્ટેજ પર ઉભેલા વરરાજાને દારુ પીવડાવવામાં આવી રહ્યો છે. એક તરફ રાજ્યમાં દારુબંધી છે તેમ છતાં છાસવારે દારુ પકડતા હોવાના કિસ્સા સામે આવતા રહે છે. તાજેતરમાં રાજકોટ પોલીસ દ્વારા દારુ ભરેલા ટ્રક માટે પાઈલોટિંગ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ પણ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો હતો. રાજકોટમાં લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર ડાન્સની મસ્તી…
ગ્લોબલ માર્કેટમાં ઘઉંની કિંમતમાં વધારો ભારત સરકારે લેવો પડ્યો આ નિર્ણય ભારતીય ગ્રાહકોને થશે મોટો ફાયદો ગ્લોબલ માર્કેટમાં ઘઉંની કિંમતમાં ઐતિહાસિક રીતે વધારો થઈ રહ્યો હતો અને ભારત નિકાસનો જબરદસ્ત ફાયદો ઉઠાવવા માગતું હતું પણ ઘરેલૂ માર્કેટમાં ઘઉંની ડિમાન્ડ વધતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે. તેની સીધી અસર નાના ગ્રાહકો અને લોટ પર વધારે પડી છે. જેનાથી ઘઉંના લોટમાંથી બનતી વસ્તુઓ જેવી કે, બિસ્કીટ, કેક, બ્રેડ જેવી વસ્તુઓ પર માઠી અસર પડી છે. પણ સરકારે ઘઉંની નિકાસ પર રોક લગાવીને સંભવિત મોંઘવારી પર લગામ લગાવાની કોશિશ કરી છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેયે કહ્યું કે, છેલ્લા એક વર્ષમાં ઘઉં અને…
રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ 2 દિવસ રાજ્યભરમાં ઓરેંજ એલર્ટ 44 ડિગ્રીથી પણ વધી શકે છે તાપમાન અમદાવાદ સહિત રાજ્યભરમાં હજુય આકરી ગરમી વિરામ લેવાનું નામ લેતી નથી. શહેરીજનોને કાળઝાળ અગન વરસાવતી ગરમીમાંથી છૂટકારો મેળવવા હજુ પણ બે દિવસ રાહ જોવી પડશે. અમદાવાદમાં હવામાન ખાતાની આગાહી મુજબ આજે અને આગામી બે દિવસ યલો એલર્ટ રહેશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. એ પહેલાં થોડા દિવસ હજુ ગરમી ચાલુ રહેશે.આજે પણ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ અતિ તીવ્ર રહેવાની શક્યતા છે. “હીટવેવ”ને લીધે લોકો ભરબપોરે ઘરની બહાર નીકળી શકતા નથી.…
ઈમ્પોર્ટેડ કાર્સ ઉપર નેપાળમાં 298 ટકા સુધીનો તોતિંગ ટેક્સ લાગે છે ભારતીય કિંમત કરતાં નેપાળમાં કારની કિંમત ત્રણ ગણી વધારે છે પાકિસ્તાનમાં કારની કિંમત ભારતીય માર્કેટ કરતાં બમણી છે Tata Safari કારની વાત કરીએ તો, ભારતમાં તેની કિંમત 15.25 લાખ રૂપિયાથી શરૂ થઈ 23.46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધીની છે. . નેપાળમાં ત્રણ રો ધરાવતી આ કારની કિંમત ભારતીય રૂપિયા પ્રમાણે 63.56 લાખ રૂપિયા છે. આનો અર્થ એ થયો કે, ભારત કરતાં નેપાળમાં Tata Safari 2.7 ગણી વધારે મોંઘી છે ભારતમાં કાર બનાવતી કંપનીઓ પોતાની કાર પાડોશી દેશ નેપાળમાં પણ એક્સપોર્ટ કરે છે. પણ નેપાળમાં આ કાર્સ ઉપર એટલો તોતિંગ ટેક્સ…